SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ( ચિત્ર–૨૪ ) એ પછીનું દૃશ્ય નવજાત શિશુ-શાન્તિનાથના, ઇન્દ્રાદિ ધ્રુવા દ્વારા કરાતા જન્માભિષેકનુ છે. આ ચિત્ર એટલું બધું સુંદર અને નયનરમ્ય છે કે એ જોતી વેળાએ મેાઢામાંથી · કેવુ. સાહામણુ ! કેટલુ` રોમાંચક !” એવા શબ્દો અનાયાસે–સહજ રીતે જ સરી પડે છે. પાતાની સમગ્ર આવડતના અર્ક જાણે ચિત્રકારે અહીં મન મૂકીને ઠલવ્યા છે. આપણે જોયા જ કરીએ, જોયા જ કરીએ, ને જોતાં ધરાઈએ જ નહિ, એવી રમણીયતા અહીં ઊગી છે. ચિત્રકારે દાખવેલી રંગ અને રેખાઓના સચાજનની અદ્ભુત નિપુણતા, તેની પીછી વાટે આ ચિત્રમાં અવતરી છે, અને હવે તે ભાવુકના ચિત્તને એ રીતે સ્પર્શે છે કે તેથી ભાવુકનું ચિત્ત વિભાર અની જાય છે. શાંતિનાથચરિત્ર ચિત્રપટ્ટિકા ચિત્રના ક્રમાનુસાર સૌથી પહેલાં એક જ ઇન્દ્રનાં પાંચ સ્વરૂપે. આપણને દેખાય છે. એમાં સૌથી પહેલાંના ખભા ઉપર, ડાબા હાથે તેણે પકડેલ ચામર છે. તેની પછીની આકૃતિ એ હાથે છત્ર ધરી રહી છે. ત્રીજી, સરખામણીમાં વધુ ઊંચી દેખાતી આકૃતિ, સૌધર્મેન્દ્રની પાતાની મુખ્ય આકૃતિ છે. તેણે એ હાથના સપુટમાં બાળ તી કરને પધરાવ્યા છે. તેની આગળ વળી એક ચામરધારી છે. અને તેનીચે આગળ મેાખરે ચાલતી આકૃતિના હાથમાં ઈન્દ્રનુ વજ્ર નામક આયુધ છે. પહેલી, ચાથી ને પાંચમી આકૃતિઓએ પહેરણ જેવાં ઉપરવ* પહેરેલાં છે. મુખ્ય-વચલી કે ત્રીજી—આકૃતિએ. માત્ર ખેસ જ વીટાળ્યા છે; જ્યારે બીજી આકૃતિના શરીર પર કાટાબંધ અધાવસ સિવાય કોઇ વજ્ર નથી. પાંચેયને શિરે મુગટ છે. વજ્ર લઈને મેાખરે ચાલતા ( પાંચમા ) ઇન્દ્રસ્વરૂપની નજર પાછળ છે—જાણે કે બાળતી કરના થાય એટલાં વધુ ને વધુ દર્શન કરી લેવાની તેને ઉત્સુકતા ન હોય ! પાંચેય આકૃતિએ વેગપૂર્વક ઢાડી રહી છે. એવુ' તેમનાં બે પગલાં વચ્ચે રખાયેલા અંતર્ ઉપરથી કલ્પી શકાય છે. પણ એમની આ દાઢ ઉત્સવની દાઢ છે, યુદ્ધની નહિ, એટલે એમની સમગ્ર અ’ગભ’ગીમાંથી એક પ્રકારના ઉલ્લાસ કે થનગનાટ નીતરી રહ્યો હોવાનુ આપણે જો અનુભવીએ, તે તે ચિત્રકારની નિપુણતાને આભારી છે. એ પછીના દૃશ્યમાં, વચ્ચેાવચ્ચ, મેરુપર્વતના શિખરના પ્રતીકસમી એક આટલી જેવુ' છે. અ આટલી ઉપર પદ્માસન વાળીને બેઠેલા ઇન્દ્ર દેખાય છે. ઇન્દ્રે મુગટ, કુંડળ, હાર, પાખર વગેરે આભરણા પહેર્યાં' છે. ઇન્દ્ર અવી મુદ્રાએ બેઠા છે કે અજાણ્યા દક તે તેમને કોઈ તીથ કરની પ્રતિમા સમજી મેસે. ઇન્દ્રના ખેાળામાં માળશિશુ શાન્તિનાથ પણ ઇન્દ્રની જેવું જ સમચતુરસ્ર-સ’સ્થાન રચીને બેઠા છે. ઇન્દ્રની બન્ને તરફ રહેલાં એ મનમેાહુક, વિશાળ અને શતદ્દળ કમળપુષ્પ ઉપર બે શ્વેત બળદ, માથુ નમાવીને ઊભા છે. અન્નેનાં શિંગડાંમાંથી માળતી કરના અંગ ઉપર પડે તે રીતે દૂધની ધારા વસી રહી છે. આ બે બળદ તે સૌધર્મેન્દ્ર પાતે જ છે. તે જ આવાં બળદનાં સ્વરૂપા ધારણ કરીને તીર્થંકરના અભિષેક કરે છે. સાવરમાં ખીલ્યાં હોય તે રીતે ગાવાયેલાં કમળપુષ્પાનાં પાંદડાં પીળાં છે અને તેના મધ્યભાગની કેસરાઆ લીલી છે. બન્ને કમળનાં દંડ પણ ખૂબ રૂપકડા છે. બન્ને કમળપુષ્પાની પછવાડે, હાથમાં કળશ લઈને એક-એક દેવ ઊભેા છે. તીર્થંકરના અભિષેક કરવાના પાતાના વારા આવેતેની રાહ જોતાં દેવાની હારમાં તેઓ ઊભા હશે એમ લાગે છે. એમાં ઇન્દ્રની જમણી તરફના દેવના કળશ Jain Education International For Personal & Private Use Only www.jainelllbrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy