SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રપદ્રિકા ૩૧ તર પૂઠ કરીને ન ચલાય એવી શિસ્તનું આ રીતે સૂચન થયું હોય અથવા તો એ બન્ને પદાતિઓ, આ રીતે, રાજાના અંગરક્ષક તરીકેની ફરજ બજાવતા હોય, એવું હોઈ શકે, અગાઉ જોયેલા હાથી-ઘોડાઓના દેહ પર પૂરા કદની ઝલો (બખ્તરે ) નંખાયેલી હતી. અહી દોરાયેલા હાથી-ઘોડાના અંગ પર એવી ઝુલે લદાઈનથી, એટલે તમામ અંગોપાંગે સ્પષ્ટ જોઈ શકાય છે. આ પ્રાણીઓનાં અંગોપાંગ પર વિવિધ રંગોની છટા ચિત્રકારે કેટલી નિપુણતાથી ઉપસાવી છે ! હાથીને જ જોઈએ તો તેની સુંદન ભાગ આછો લાલ છે, તેનો કોલપ્રદેશ ને કુંભસ્થળ આછાં લીલાં છે, તેનો દેખાઈ રહેલો એક કાન ઘરે લાલ છે, તેના ચારેય પગમાં આછા લીલા ને પીળા રંગનું સુભગ મિશ્રણ જોવા મળે છે, તો તેના શરીરનો પાછલો ભાગ રકતવણે છેએ જ રીતે બે ઘોડાઓ પિકી પહેલો ઘોડે વિશેષત: રકતવણે છે. બીજા ઘોડામાં લીલા વણનું પ્રાધાન્ય છે. પણ એમના દેહના મુખ્ય રંગમાં તે સિવાયના બીજા–પહેલામાં લીલે ને પીળો તથા બીજામાં લાલ ને પીળો-રંગની પણ એવી તે સુંદર મળવણી થઈ છે કે ઘોડાઓનું અંગ-સૌદર્ય નિખરી ઊઠે છે. બને ઘોડાના ચારે પગના ડાબલા ઘેરા શ્યામ છે, ઘોડેસવારે અને પદાતિઓએ પણ, લડાઈના નહિ, કિન્તુ પોતાના રોજિંદા અથવા તે ઉત્સવને યોગ્ય એવા પોષાક પહેરેલ છે. ચિત્રને ચિત્રકારે અપેલી ગતિશીલતા જાણે એમ સૂચવે છે કે આ આખે રસાલા ચાલી નથી રહ્યો, પણ દોડી રહ્યો છે ! આમ છતાં, પણ આપણે કબૂલવું જોઈએ કે, એમની આ દોડમાં એક પ્રકારને થનગનાટ અને એક પ્રકારની વિલક્ષણ લયબદ્ધતા પ્રગટી રહી છે. અને એ લયબદ્ધતા જ સમગ્ર દશ્યને રેનક અને રમણીયતા બક્ષે છે. આ રસાલો પૂરો થતાં જ આવે છે સમવસરણ જૈન તીર્થકરેની ધર્મસભાનું આ પારિભાષિક નામ છે. આ સમવસરણની રચના દેવે કરે છે. આ રચના અદ્વિતીય અને અદ્ભુત ગણાય છે. આ રચનાનું વર્ણન જૈન ગ્રંથમાં મળે છે. અહીં આપણે આ સમવસરણમાં ત્રણ વલ જોઈ શકીએ છીએ. વસ્તુત: તે એકએક વલય એક એક ગઢ ( કિલ્લામાં ગઢ હોય છે તે પ્રકારના) છે. ત્રણે ગઢ ચઢઊતર હોય છે. અર્થાત સૌથી નીચેનો ગઢ મોટો; તે કરતાં તેની ઉપર ગઢ નાને ને તે કરતાં તેની ઉપરનો ગઢ નાનો. ચિત્રમાં દેખાતું મેટું અને સફેદ લાગતું વલય તે નીચેથી પહેલો ગઢ છે. આ ગઢ રૂપાનો હોય છે, એ સમજાવવા માટે તેને સફેદ રંગે દોર્યો છે. તે પછી વચલું પીળું લાગતું વલય તે બીજો ગઢ છે. પીળો રંગ. આ ગઢ સોનાને હોવાનું સૂચવે છે. તે પછી એકદમ નાનું અને ઘેરા રંગનું દેખાતું વલય તે ત્રીજે ગઢ છે. એ લાલ રનોનો બનેલો ગઢ છે. આ ત્રણે ગઠોની વચમાં ચારે દિશામાં પગથિયાં અને પ્રવેશ દ્વારે મૂકેલાં છે. આ બધાની વચ્ચોવચ બિરાજેલી આકતિ તીર્થકર ઘનરથની છે. તેમનો પીળે દેહરંગ, તેમની કાયા સુવર્ણ જેવા પીળા વર્ણની હોવાનો ખ્યાલ આપે છે. સમવસરણની સમાપ્તિ થયા પછી, લીલી પૃષ્ઠભૂમિ ઉપર ઊભેલી, વેત અધોવસ્ત્રધારી બે આકૃતિ છે, તે મેઘરથ અને દઢરથે છે. ઘનરથ પ્રભુ પાસે દીક્ષા લેવા માટે બને સ્વહસ્તે કેશલોચ કરી રહ્યા છે. વાળને વળાંક જે તરફ હોય તે બાજુના હાથે કેશ ખેંચવા જતાં, તેઓનાં માથાં પણ તે દિશામાં ફરી ગયેલાં લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy