SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા વિમાનો છે. બન્નેમાં એક એક મુગટધારી સુભટ વિરમુદ્રામાં ઉભડક બેઠા છે. અને એકબીજા પર તીરની વૃષ્ટિ કરી રહ્યા છે. વિમાનની આકૃતિ અહીં પૂરેપૂરી અને સ્પષ્ટ દેખાય છે, નાનકડાં પણ રૂપકડાં આ વિમાનનું નકશીકામ ચિત્રકારે ભારે ઝીણવટથી આંકી બતાવ્યું છે. બન્ને વિમાનોનો ઘાટ નાની દેવકુલિકા જે રળિયામણું દીસે છે. બન્નેનાં શિખર ઉપર વચમાં કળશ અને તેની બન્ને તરફ એકએક દવા સ્પષ્ટ જોઈ શકાય છે. (ચિત્ર-૧૫ ) એ પછી આવે છે રથારૂઢ અનન્તવીર્ય અને દમિતાર. જેમ સૈનિકોનું સૈનિકે સાથે અને સેનાપતિઓનું સેનાપતિઓ સાથે, તેમ અનન્તવીર્યનું દમિતારિ સાથે ભીષણ શસ્ત્રયુદ્ધ ચાલી રહ્યું છે. બન્નેના રથને એક-એક છેડે જ જોતરેલે હાઈ બન્ને રથ, વાડ ને ઠાઠા વગરના ખુલ્લા એક્કા (એક જ બળદ જોતરેલું બળદ-ગાડું) જેવા લાગે છે. અનન્તવીર્યના રથની ધૂંસરી ઘેડાના માથા ઉપર લદાયેલી છે, ઘોડાઓને પણ એવો રણુરંગ ચઢયો છે કે બને છેડા, પૂરી તાકાતથી દોડીને, એકબીજા સાથે ભટકાતા હોય તેવું દેખાય છે. અનન્તવીર્યના ડાબા હાથમાં ધનુષ્ય છે, ને જમણા હાથમાં, તર્જની આંગળી ઉપર ચરન છે. દમિતારિ ઉપર પ્રયોજવા માટે, ચક્રને એ ઘુમાવી રહ્યો છે. સામે દમિતારિના હાથમાં ધનુષ્ય છે. તેની ગરદન ઉપર ચક્ર ફરી વળતું દેખાય છે. અને તેને કારણે કપાઈને નીચે પડેલું તેનું મસ્તક પણ જોઈ શકાય છે. બારમા-તેરમા સૈકામાં, યુદ્ધોમાં વપરાતા રથ આ રીતે ખુલ્લા રહેતા હશે એમ રથનાં આ ચિત્રો જોઈને માનવાને મન પ્રેરાય છે. ચિત્રાંકિત હોવા છતાં ઘોડાઓ દોડી રહ્યા હોવાનું અને દમિતારિના મસ્તક ઉપર છોડાયેલું ચક્ર ફરી રહ્યું છે, તેવો આભાસ પ્રેક્ષકના મનમાં પેદા કરે, અથવા તે ઘડાઓ અને ચક્રની ગતિશીલતાને ચિત્રમાં સાકાર કરવી એ, કેમેરા જેવા સાધનવિહોણા એ કાળના ચિત્રકારને માટે, નાનીસૂની સિદ્ધિ ન ગણાય, (યુદ્ધના સમગ્ર દશ્યમાં અપરાજિત જોવા નથી મળતો. કદાચ તે કનકશ્રીની રક્ષા માટે, તેની સાથે શેકાયો હશે !) યુદ્ધનું દશ્યાંકન સમાપ્ત થતાં જ, આપણી નજરે ત્રણ આકૃતિઓ પડે છે. તેમાં વચ્ચે બેઠેલી એક પુરુષાકૃતિ તે ભૂતપૂર્વ અનન્તવીર્ય વાસુદેવ છે. દમિતારિને જીતીને ત્રણ ખંડનું સાર્વભૌમત્વ એણે મેળવ્યું તો ખરું, પણ એ પછી એની એ જિંદગી સમાપ્ત થયે એ મરીને નરકમાં ગયો હોવાનું આપણે આ પૂર્વે જ જાણી લીધું છે. એટલે અહીં બેઠેલી દેખાતી પુરુષાકૃતિ, તે નારકી બનેલા અનન્તવીર્યની છે, એ સહજપણે સમજાય તેવું છે. એ આકૃતિની બન્ને બાજુએ ઊભેલી એક એક વ્યક્તિ તે પરમાધામી દેવો (એક પ્રકારના કર દેવ) છે. ત્રણેના દેહને આછી સફેદીવાળો શ્યામવર્ણ નરકગતિને બિલકુલ અનુરૂપ છે. બન્ને દેવોએ મળીને એક ધારદાર દાંતાવાળી કરવત પકડી છે, ને તેને તેઓ અનન્તવીર્યના માથે ફેરવે છે. (એ કાળમાં સુથારનાં વિવિધ ઓજારમાંનાં એક-કરવત-નું સ્વરૂપ કેવું હશે, તેને કંઈક ખ્યાલ આ ચિત્ર ઉપરથી આવી શકે છે.) માથે ફેરવાતી આ તીણી કરવત, કેવી તીવ્ર વેદના જન્માવતી હશે તે, વ્યાકુળ બનેલા અનન્તવીર્યના બે હાથ અને તેની આંખોના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy