SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર-પરિચય પ્રવેશ એક સામાન્ય પથ્થરડાને પૂછે કે, “તે દસ ઘા માર્યા ત્યારે એક શિલા તૂટી, તો તું બળપૂર્વક એક છેલે ઘા જ શા માટે નથી મારતો અને વધારાના નવ ઘા શા માટે મારે છે ?” તો એ શું કહેશે? ભલે એની ભાષામાં, પણ, એનો જવાબ કાંઈક આવો હશે: “ભલા માણસ, આગળના નવ ઘા વધારાના કે નકામા નથી; બલકે, એ નવ ઘાએ તો દસમા ઘામાં શિલાના ટુકડા કરવાનું સામર્થ્ય પૂણ્ય છે! જો એ નવ ઘા ન માર્યા હોત તો, ગમે તેટલી તાકાતથી મારવામાં આવ્યો હોય તો પણ, દસમે ઘા અર્થહીન જ બની રહેત, મારે મન તો દરેક ઘાનું મૂલ્ય, દસમા ઘા જેટલું જ છે અને એનાથી લેશ પણ એવું નહીં જ. અને હવે, કેઈક, સમગ્ર જનસમાજને માટે આદર્શ સમાન મહાપુરુષનું જીવન લઈએ, અને વિચારીએ કે એ પુરુષ, પિતાના જીવનમાં મહાપુરુષ તરીકે પ્રતિષ્ઠત થયા, તેનું કારણ શું તેમણે પિતાના ચાલુ છવન દરમિયાન કરેલી તિતિક્ષામય જીવન-સાધના જ હોઈ શકે? જે આપણે પથ્થરફડાની વાત ન સમજ્યા હોઈએ, તો અવશ્ય માની લઈએ-અને દેખીતી રીતે એ વાત વજુદ વાળી પણ લાગે-કે, એ પુરુષની સાંપ્રત જીવન-સાધના જ, તેમને મહાપુરુષ બનાવી શકી છે, પરંતુ હકીકત એથી જુદી જ છે. જો એક સામાન્ય શિલાને તોડવા માટે પણ, પહેલાં નવ ઘા માર્યા પછી જ દસમે ઘા કારગત નીવડતો હોય, તે એક જિંદગીને, અને ખરેખર તો, એક વ્યક્તિને કે એક આત્માને, મહાન બનાવનાર પરિબળ તરીકે, માત્ર એક અને તે પણ વર્તમાન અધૂરી જિંદગી અને તેમાં થતી જીવન સાધના, શી રીતે પર્યાપ્ત બની શકે? અલબત્ત, ‘મહાન' શબ્દનો અર્થ અહીં, ભારતીય સંસ્કૃતિનાં પરમધેયસ્વરૂપ “આત્મસાક્ષાત્કાર ” ની દિશામાં વળેલ વ્યક્તિ એ કરે જોઈએ. આટલી સ્પષ્ટતા પછી, નિ:શંકપણે એ સ્વીકારવું જ રહ્યું કે, મહાન બનવા માટે એક જિંદગીની નહિ, કિંતુ અનેક જિંદગીઓની-જન્મજન્માંતરની સાધના જ, કામિયાબ નીવડી શકે. મહાન બનનારની મહાપુરુષ તરીકેની જિંદગી તે, શિલા ઉપર મરાતા છેલ્લા ઘા જેવી છે. છેલ્લા ઘા જેવી એ સફળ જિંદગીની પૂર્વભૂમિકામાં તે, શિલા ઉપરના આગલા નવ ઘા જેવી, અનેક જિંદગીઓ, અનેક ભવે અને એમાં કરાયેલી સાધનાઓ સમાયેલી હોય છે. સોળમા તીર્થંકર ભગવાન શાન્તિનાથનું જીવનચક્ર, આ વાતનું ઉત્તમ દષ્ટાંત બની રહે એવું છે અને તેથી જ, એમનું જીવનચક્ર સમજવામાં આટલી પૂર્વભૂમિકા ઉપગી તેમ જ જરૂરી બની રહે એવી છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy