SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જેન શૈલીનું પૃથક અસ્તિત્વ ૨૧ સારી રીતે જાણીએ છીએ કે જ્યારથી આ શૈલીમાં વિલાસિતાનું તત્વ પ્રવેશ્ય, ત્યાર પછી થોડા જ વખતમાં આ શીલી આપોઆપ લુપ્ત પણ થઈ ગઈ ૪. જૈન શૈલી અંગે એક આરેપ એ છે કે આ શૈલીની બાબતમાં જેમનું માનસ પરપરાવાદી રહ્યું છે. આ શૈલીમાં એકવિધતાને અનુભવ સતત થયા કરે છે; વિવિધતા કે પ્રયોગશીલતાને એમાં બહુ ઓછું સ્થાન મળ્યું છે. આ આરોપ ખોટો ન કહેવાય. જેને માત્ર પરંપરાવાદી નહિ, પણ રૂઢ પરંપરાવાદી છે, આ બાબતમાં. જે પરંપરા આદરી અને સ્વીકારી, એને છેક સુધી દઢપણે વળગી રહેવાનું એમનું માનસ, કલ્પસૂત્રોની ચિત્રાવલીમાં સ્પષ્ટ જોવા મળી શકે. સંસારથી વિરક્ત બનેલા સાધુઓના માર્ગદર્શન તળે પાંગરેલી આ શૈલીમાં ધાર્મિક વાતાવરણ અને વિરક્ત જ જોવા મળે, વિલાસિતા નહિ. આમ છતાં, આનો અર્થ એ નથી કે જેનો શિષ્ય પરંપરાવાદી છે. જો એવું હોત, તો કલપસૂત્રની એકેક ચિત્ર-પથીમાં પણ, નૃત્ય-નાટ્યની વિવિધ શાસ્ત્રીય મુદ્રાઓ; રાજપૂત, મોગલ અને એવી અન્ય શૈલીઓમાં જ જોવા મળે તેવી નકદાર રંગસજાવટ વગેરે કલા વિકાસ જોવા મળે છે, તે ન મળતો હોત. ૫. કેટલાક વિદ્વાનોએ “જૈન શૈલી ” ને, તે પ્રાચીન ચિત્રશૈલીની વિકૃતિમાત્ર છે એમ કહીને, અપભ્રંશ શૈલી ૧૦ તરીકે ઓળખાવી છે. ભારતની પ્રાચીન ચિત્રકલા અને અર્વાચીન ચિત્રકલા–એ બનેની વચલી અને મહત્ત્વની રાંખલારૂપ મનાતી ચિત્રશૈલીને “વિકૃતિસ્વરૂપ અને અપભ્રષ્ટ ગણાવવી, અને એમાં સંમત થવું, એ તદન અનુચિત અને અજગતું છે. અજંતા-ઈલોરાનાં ગુફાચિત્રોને સાંપડેલા વિશાળ ભિત્તિલકની સરખામણીમાં અત્યંત લઘુ કહી શકાય તેવા, તાડપત્રાદિક ફલક ઉપર, આશ્ચર્યજનક રીતે દોરાયેલાં આ ચિત્રોને, તે વિકૃત કે અપભ્રષ્ટ હેવાનું પ્રમાણપત્ર આપવું, તે માત્ર અપૂરતા અપરિપકવ અભ્યાસની જ નીપજ છે એમ સમજવું જોઈએ, વસ્તુતઃ આ લઘુચિત્રોને “પ્રાચીન ચિત્રકલાની સંસ્કૃત અને વિકસિત કે ઉત્કૃષ્ટ, અને પ્રારંભે, અમુક હદે, એ, પ્રાચીન ચિત્રકલાને અનુસરતી હોવા છતાં, પછીથી પિતાનું આગવું શૌલી-સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરનાર આવૃત્તિ છે, એમ કહેવું વધુ ઉચિત અને તથ્યાત્મક ગણાય. હા, એવું કહી શકાય કે વિદ્વાન જેને ઊગમ દક્ષિણ ભારતમાં થયું હોવાનું માને છે તે અપભ્રંશ શૈલી (અહીં “અપભ્રંશ' એટલે ભ્રષ્ટ કે વિકૃત નહિ, કિન્તુ આ નામ ધરાવતી એક સ્વતંત્ર શૈલી–એમ સમજવું જોઈએ) માંનાં કેટલાંક તત્ત્વોને, ગુજરાતની “જેન શૈલી ના નિષ્ણાતોએ અપનાવી લીધાં હોય. અને પિતાની સ્વતંત્ર શૈલીમાં એ તનું સંમિશ્રણ કરીને તેને વિરોષ અભિવ્યક્તિક્ષમ અને કપ્રિય બનાવી હોય, વસ્તુત: તે શ્રી ડી. વી. રેમસન નામના સમીક્ષકે પુરવાર કર્યું છે તે રીતે, “ઇલોરાની પરંપરા જૈન ગ્રંથમાંનાં લઘુચિત્રોરૂપે પરિણમી અને વિકસી', એ વાતને સ્વીકારીએ, અને આરંભિક જૈન Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy