SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સુધીમાં એમના બાર ભવ થયા. એ ગાળો જ જીવની પરિણતિમાં મહત્ત્વને ગણાય, એટલે આજથી સાતસોએક વર્ષ પહેલાંના કેઈ ચિત્રકારે, તેમના આ બારે ભવના મુખ્ય મુખ્ય બનાવોને ચિત્રપદ્રિકાઓમાં આલેખી દીધા છે. એ આલેખનની પાછળ એ આત્માના આ બારેબાર ભવની રસભરી અને ઉન્નત એવી જીવનગાથા પથરાયેલી છે. એ ચિત્રોમાં આલેખાયેલી અને જૈન કથાસાહિત્યમાં નિરૂપાયેલી એ બાર ભવની કથા, મુનિ શીલચંદ્રવિજ્યજીના આ પુસ્તકને વિષય છે. મુનિશ્રી જેટલા સાહિત્ય અને કથાના રસિક ભોકતા અને જ્ઞાતા છે એટલા જ ચિત્ર અને એના દ્વારા આલેખાયેલી કથાના પણ વિદ્વાન મર્મજ્ઞ છે. એટલે એમણે એ ચિત્રો આપીને, એ ચિત્ર દ્વારા કહેવાતી કથાનું, એ ચિત્રોમાંનાં રંગ અને રેખાઓનું બારીકીથી અવલોકન કરીને, વિવરણ કર્યું છે, અને સાથે સાથે એ ચિત્રોની બારીક કલાકારિગરીને સમજવા-સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચિત્રકલાથી તદ્દન અજાણ એવો હું એમનાં આ ચિત્ર વિવરણ વિશે શું કહી શકું? એ તો એના જાણકાર વિદ્વાન કહેશે, પરંતુ તે ચિત્રોનાં બારીક નિરીક્ષણ અને વિવેચનની સાથે સાથે મુનિશ્રીએ પુસ્તકમાં, જૈન સાહિત્યમાં સચવાયેલી એ બારે ભવની કથાઓ પણ સંક્ષેપમાં નિરૂપી છે. ચિત્રમાંથી ઊઠતી સામગ્રીને એ કથાનિરૂપણમાં ઉપયોગ થવાને બદલે, એ બધી કથાને ચિત્રકારે શી રીતે ઉપયોગ કર્યો છે એ મુનિશ્રીના લેખનમાં સવિશેષપણે નિરૂપાય છે. સાદી, સરળ, નિરાડંબર અને છતાં પોતાનું આગવું પિત ધરાવતી ભાષાશૈલીમાં આ બારે ભવની કથાનું મુનિશ્રીએ નિરૂપણ કર્યું છે. તેમાં કયાંય અત્યુક્તિનો તેમણે આશ્રય લીધો નથી કે કયાંય અહોભાવથી ખેંચાઈ જઈને “ઓહો, કે “આહાઝ કરી ઊઠયા નથી. આ જાતની કથાઓમાં, સ્વભાવિક રીતે જ, અલૌકિક તત્ત્વ હેય, કેમ કે આ તે ધર્મની અને ધાર્મિક આત્માની એવા કાળખંડની કથા છે કે જેમાં આમાં બને છે એવું બનતું જ એમ એ જમાનો શ્રદ્ધાપૂર્વક માનતો. પણ લેખકની કસોટી આવી વાતોના નિરૂપણ વખતે જ થાય, તે પોતે જે આવા અદ્દભુતના નિરૂપણમાં પિતાની કલમ ઉપર સંયમ ખોઈ બેસે, કે આખી વાતની સત્યાસત્યતાના પક્ષે કે વિપક્ષે પોતે વાદી કે પ્રતિવાદી બની જાય, તો એનું લેખન દૂષિત બની જાય, મુનિશ્રી શીલચંદ્રવિજયજી એવા કશા પ્રલોભનથી પર રહ્યા છે અને શાસ્ત્રોકત વાતને પોતાની સરળ ભાષામાં વર્ણવી રહ્યા છે. તેમનું લખાણ શુદ્ધ છે, સ્પષ્ટ છે અને વિષયના ગૌરવને કયાંય પણ હાનિ ન થાય એ જાતનું છે. | મુનિશ્રી સંસ્કતના સારા વિદ્યાથી છે. જૈન શાસ્ત્રોમાં આલેખાયેલી ભાષાના તો એ ઊંડા અભ્યાસી હોય જ, પણ તે ઉપરાંત ગુજરાતી ભાષા અને સાહિત્યના પણ એ ઊંચી કોટિના રસિક અભ્યાસી છે. તેમનું વાચન વિશાળ છે, અને સંપ્રજ્ઞતા ઊંચી કોટિની છે, એટલે તેમના હાથે તૈયાર થયેલું આ, શાંતિનાથ ભગવાનના બાર ભવની, ચિત્રોમાં આલેખાયેલી કથાનું વિવરણ, માત્ર જૈન વાચકને જ નહિ, પણ અન્ય વાચકોને પણ સાહિત્યની રસિક કૃતિ વાંચ્યાને આનંદ આપશે, તે વાતમાં મને શંકા નથી. કોઈ પણ ધાર્મિક કથાવાર્તામાંથી તેમાં જે માત્ર સાંપ્રદાયિક હેય એ તવ ગાળી નાખીએ તે એ કથા બહુજન સમાજના પ્રેમ અને આદરની અધિકારી બને. ભગવાન બુદ્ધની જાતક કથાઓ, વેરો Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy