SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રપત્રિકા (૧૭) મુખ્ય હસની આકૃતિ ધરાવતી પટ્ટિકા; સમય-ઇ. સ. ની ૧૩મી સદી. પ્રકાશકજૈનચિત્રકલ્પકુમ, વોલ્યુમ (૧૮) અષ્ટમંગલ નિરૂપતી પણિકા સમય-ઇ. સ. ની ૧૩મી સદી; પ્રકારાક-જૈનચિત્રકલ્પકમ, વોલ્યુમ-૨. (૧૯) તીર્થકરોની માતાઓ નિરૂપતી બે પટિકાઓ; સમય ઇ. સ. ની ૧૧મી સદી; પ્રકાશકજેનચિત્રકલ્પમ, વોલ્યુમ-૨ પશ્ચિમ ભારતમાં પ્રાચીન કાળથી મધ્યયુગ સુધીમાં ચિત્રકલાની પ્રગતિના આરંભના તબક્કા વિષે પુરતી સામગ્રીના અભાવે કંઈ ચોક્કસપણે કહી શકાતું નથી. પરંતુ ઉપર ગણાવેલા કાપથિકાચિત્રો આપણા જ્ઞાનની ઉણપ પૂરી કરવામાં કેટલેક અંશે મદદરૂપ બને છે, અને ખરેખર તો તે (કાષ્ઠપટ્ટિકાચિત્રો), ચિત્રકલાની અને તેનાં ઇતિહાસની ઉત્ક્રાંતિ તથા વિકાસનો અભ્યાસ કરવા માટે ઘણી ઉપયોગી વસ્તુસામગ્રી તરીકે કામ કરે છે. હમણાં તાજેરમાં જ ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં જૈન દેરાસરેએ તેમનાં ભંડારમાં સાચવી રાખેલી અનેક સચિત્ર હસ્તપ્રતોને પ્રકાશમાં લાવવા માટે તેમનાં ભંડારો ખુલ્લા મુક્યા છે. આ વિસ્તારમાં મુસ્લીમોનાં આગમન પૂર્વે ઘણા વખત પહેલાં હસ્તપ્રતાની નકલ કરવાની તથા તે હસ્તપ્રતાને અનુરૂપ તેમાં રેખાચિત્રો તથા ચિત્રો ચિતરવાની પરંપરા પ્રચારમાં આવી હતી. આ પરંપરા હિંદુ શાસનની સમાપ્તિ પછી પણ બધે વિકસવાની ચાલુ જ રહી હતી, કારણકે મુસ્લીમ શાસકેએ પરંપરામાં ખાસ હસ્તક્ષેપ કર્યો હોય તેવું લાગતું નથી. પ્રાર-મુસ્લીમકાળની કેટલીક સચિત્ર હસ્તપ્રતો હજુ પણ ગુજરાતમાં પાટણ, મુડબિકી, ખંભાત, વડોદરા પાસે છાણી અને આવી બીજી કેટલીક જગાઓના જૈન ભંડારોમાં સચવાયેલી પડી છે; અને તે (સચિત્ર હસ્તપ્રતો ), પશ્ચિમ ભારતમાં લગભગ ઇ. સ. ની ૧૨મી સદીના પછીના સમયની સચિત્ર હસ્તપ્રતોના વિકસતા અસ્તિત્વને પ્રકાશિત કરે છે. અહિં એક વસ્તુ નોંધવી જરૂરી છે કે પાટણ (ઉત્તર ગુજરાત, જી. મહેસાણા)ના જૈન ભંડારની ઇ. સ. ની ૧૧મી સદીની “નિશીથચૂણિ નામની એક હસ્તપ્રતને, પશ્ચિમ ભારતમાં અત્યારસુધીમાં પ્રચાર પામેલી હસ્તપ્રતોમાં પ્રાચીનતમ સચિત્ર હસ્તપ્રત ગણવામાં આવે છે, પ્રસ્તુત કાષ્ઠપટિકાના વિશિષ્ટ લક્ષણો:– રચના -ચિત્રની પશ્ચાદભૂ એકરંગી અર્થાત લાલરંગની છે અને એકસરખા પાતળા લેપથી રંગ લગાવવામાં આવ્યો છે. આ વિશિષ્ટ ચિત્રપત્રિકામાં નિરૂપાયેલું વિષયવસ્તુ, જૈન દેના સોળમા તીર્થંકર શાંતિનાથના જીવન અને સિદ્ધિઓ ઉપરથી લીધેલું છે. આ ચિત્ર, મહાન તીર્થકર શાંતિનાથના જીવનના મંગલ અને અદ્દભુત અથવા ચમત્કારિક પ્રસંગોને નિરૂપે છે. આ ચમત્કારિક પ્રસંગે સામૂહિક રીતે “પંચ કલ્યાણક તરીકે જાણીતા છે, જેમાં (અ) ગભધારણ (બ) જન્મ (ક) દીક્ષા (૩) કેવળજ્ઞાન (ઈ) નિર્વાણઆટલા પ્રસંગ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy