SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણ ભાગમાં કાળપ્રભાવથી ચૂનાના પ્લાસ્તરનું પેપડું ઉખડી જતાં બે–ચાર અક્ષરે લેવામાં આવતાં એક અપૂર્વ અને ઈતિહાસમાં નવા પ્રકાશ પાડે એ સમગ્ર લેખ અમને પહેલ વહેલે જ મળી આવ્યું. આ લેખમાં “શ્રી વીર ભગવાન છદ્મસ્થપણામાં પણ અબ્દભૂમિમાં વિચર્યા હતા. એ જ સમયમાં શ્રીવીર જન્મથી ૩૭ મા વર્ષમાં પૂર્ણરાજ (૨) નામના રાજાએ શ્રીવીર ભગવાનની સુંદર મૂર્તિઓ કરાવી હતી અને તેની તથા આ મુંડસ્થલ તીર્થમાં આવેલા આ મંદિરની શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શ્રીકેશી ગણધરે પ્રતિષ્ઠા કરી હતી.” એમ જણાવ્યું છે. - નીચેની બીજી એક ગદ્ય લીટીનો ભાવાર્થ એ છે કે, શ્રીવીર ભગવાનના જન્મથી સાડત્રીશમા વર્ષે શ્રીદેવા અને જારુ નામના શ્રાવક-શ્રાવિકાએ કંઈક કરાવ્યું.” શું કરાવ્યું, એ સંબંધી ત્રણ-ચાર અક્ષરે ઘસાઈ ગયા છે તેથી સ્પષ્ટ રીતે માલમ પડી શકતું નથી પણ પૂર્ણરાજ નામના રાજાએ શ્રીવીર ભગવાનની મૂર્તિઓ ભરાવી અને શ્રીદેવા અને જારુ નામના પતિ-પત્નીએ આ મંદિર બંધાવ્યું; એવી કલ્પના કરીએ તે તે સાવ અસ્થાને નથી. આ લેખને આધારભૂત રાખીને વિચારીએ તે ચરમ તીર્થકર શ્રી મહાવીર ભગવાનના ચરણકમળથી જે ભૂમિ પવિત્ર થઈ હય, જે ભૂમિમાં ભગવાનની વિદ્યમાન અવસ્થાછદ્મસ્થાવસ્થામાં જ દેવવિમાન જેવું મંદિર બન્યું હોય અને જેના મંદિરની તથા મૂર્તિઓની પરમપવિત્ર શ્રીકેશી ગણધર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy