SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભારિયાજી ૨૫ સ્તંભ ઉપર સં૦ ૧૩૧૦ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારને લેખ છે, તેમાં “શ્રેષ્ઠી આસપાલે આરાસણ નગરના અરિષ્ટનેમિ મંદિરમાં ચંદ્રગચ્છીય શ્રીરત્નપ્રભસૂરિના ઉપદેશથી સ્તંભ કરાવ્યું,” એમ લખ્યું છે. - રંગમંડપની બીજી બાજુએ ઉપરના દરવાજામાં તથા છેડેના બે નાના સ્તંભોની વચ્ચેની કમાન ઉપર મકરનાં મુખે મૂકેલાં છે. આ મુખેથી શરૂ કરીને એક સુંદર તારણ કરવામાં આવ્યું છે, જે ઉપરના પથ્થરની નીચેની બાજુને અડકે છે અને જે દેલવાડાના વિમલશાહના મંદિરમાંની કમાન ઉપર આવેલા તોરણ જેવું જ છે. મંડપના સ્તની ખાલી કમાને તથા ગૂઢમંડપના દ્વારની બરાબર સામે આવેલી, પરસાળના સ્તંભેની ખાલી કમાન તેમજ ઉપરના પાટડા નીચે આવેલા આગળા ઉપરથી એમ જણાય છે કે પહેલાં અહીં આવાં બીજા તારણે હતાં, જે હાલમાં નાશ પામ્યાં છે. આ ઉપરથી જણાય છે કે આબુ ઉપરના વિમળશાહના મંદિરના અને આ મંદિરના સ્થપતિઓ એક હાય, એમ લાગે છે. આ મંદિરમાં ૯૪ થાંભલા છે. તેમાં વચ્ચેના ૨૨ થાંભલા કારીગરી અને કોતરણીવાળા છે. તેના ઉપર દેવ, દેવીઓ અને વિદ્યાધરીની મૂર્તિઓ છે. બીજા થાંભલા સાદા છે. રંગમંડપમાં ઉપર પૂજા–મહોત્સવ વખતે સ્ત્રીઓને બેસવાના ઝરુખા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy