SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અર્બુદાચલ પ્રદક્ષિણ વળી ત્યાં જિનમાતૃપટે, ચોવીશીના પટ વગેરે છે, જેમાં લગભગ સે જેટલા લેખો પણ હશે. એક લેખ સં. ૧૨૦૪ નો છે એટલે તે પહેલાં આ જિનમંદિર બન્યું હશે. તેમાં આરાસણ અરિષ્ટનેમિ ચિત્યનું નામ આપેલું છે. સમળી વિહારના પટને નીચેને અરધે ભાગ મંદિરના પાછલા ભાગના દેખમાં ચૂંટાડેલે છે અને ઉપરને અરધો ભાગ અહીં નથી. આબૂના મંદિરમાંના પટ જેવો જ આ પટ છે. તેના ઉપર સં. ૧૩૩૮ લેખ છે. એમાં લખ્યું છે કે, “સં. ૧૩૩૮ના જેઠ સુદિ ૧૪ ને શુકવારે શ્રી નેમિનાથ ભ૦ના મંદિરમાં સંવિજ્ઞ યશોધરસૂરિસંતાનીય શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠા કરે એવા આ પટ આરાસણના રહેવાસી પિરવાડ ગેનાના વંશમાં થયેલા તુલહારી આસપાલે–શ્રાવિકા આસિણિ વગેરે વિસ્તૃત કુટુંબ સહિત–શ્રીમુનિસુવ્રતસ્વામી બિબ અને અશ્વાવબોધ સમળિકા વિહારને પટ કરાવ્યું છે.” આવી મતલબને લાંબે લેખ છે. આ પટમાં લંકાના રાજા, તેમના ખોળામાં રાજકુમારી, ભેંટણું ધરતા જેન ગૃહસ્થનાં પગલાં અને અશ્વ વગેરે આરસમાં કતરેલા છે. તેની નીચે ઉપર્યુક્ત લેખ છે. બાકીને ભાગ, જેમાં સમુદ્ર, નર્મદાનદી, ઝાડી, સમળી, પારધી, જૈન સાધુ મહારાજ અને વહાણ કરેલ છે, તે પટ દેરીઓ પાસે જ્યાં દેરીઓનાં પબાસન કાઢી નાખેલાં પડ્યાં છે ત્યાં દીવાલ પાસે મૂકેલ છે. મંદિરમાંના મંડપના સ્તંભે આબૂ ઉપરના દેલવાડાના વિમલશાહના મંદિરના સ્તંભે જેવા જ છે. પરસાળના એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy