SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજના નામથી વિદ્વત-જગત ભાગ્યે જ અજાણ્યું હશે. તેમની પ્રૌઢ લેખિનીથી લખાયેલ ૧ વિહારવર્ણન, ૨ આબુ (ગુજરાતી), ૩ બ્રાહ્મણવાડા, ૪ હેમચંદ્રવચનામૃત, ૫ અબુદ પ્રાચીન જૈન લેખ સંદોહ (આબુ ભાગ ૨.), ૬ શંખેશ્વર મહાતીર્થ, છ અચલગઢ (આબુ ભા. ૩.), ૮ હમીરગઢ તીર્થ વગેરે અનેક ઐતિહાસિક ગ્રંથ અગાઉ પ્રગટ થઈ ચૂક્યા છે. ત્યાર પછી તેમને આ “અબુદાચલ પ્રદક્ષિણ (આબુ ભાગ ૪.) ” નામનો ગ્રંથ જે ઈતિહાસ અને પુરાતત્તવની શોધપૂર્ણ લગભગ પંદર વર્ષ થયાં તૈયાર કરેલું હતું, તેને આજે પ્રગટ કરતાં ખરેખર અમને ખૂબ આનંદ થાય છે. આબુને ઇતિહાસ તે પુરાણો છે પણ મંત્રીશ્વર વિમળશાહે ને વસ્તુપાલ-તેજપાલની બંધુબેલડીએ જેનોનાં સંસ્કારધામ સમાં દેવમહાલયો રચી, તેમાં શિલ્પ-કોતરણીને કળામય રંગ પૂરી જગતને મુગ્ધ કર્યું ત્યારથી તો તેને મહિમા વધુ ને વધુ પ્રકાશમાં આવ્યો અને તેની આસપાસનાં ગામો પણ તેના અનુકરણરૂપે નાનાં-મોટાં દેવપ્રાસાદથી સુશોભિત થતાં અબુદાચલને ગિરિરાજ સમોવડ કરી મૂક્યો; એ હવે આ ૯૭ ગામોના એતિહાસિક પરિચયથી પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy