SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ અબુદાચલ પ્રદક્ષિણ શરૂ થાય છે. બંને મેળા વખતે રાજ્ય અને બામણવાડજ કારખાના તરફથી ચેકી–પહેરાને સારે બંદોબસ્ત રહે છે. - સિહીથી સજજનરેડ (પીંડવાડા) સુધી આવતા જતા મનુષ્ય પાસેથી માથા દીઠ બે આના ચોકીના સિરોહી રાજ્ય લે છે. મેળા નિમિત્ત પંદર દિવસ સુધી આ કર માફ કરવામાં આવે છે. જાગીરઃ શ્રીબામણવાડજીથી ૧ માઈલ દૂર “વીરવાડા” નામના ગામની હદમાં જ આ બામણવાડજીનું ધામ આવેલું છે. તે (વીરવાડા) ગામની જમીનની ઉપજમાંથી અર્ધો ભાગ અને રેકડ રકમની ઉપજમાંથી પણે ભાગ કે જે સિરોહી રાજ્યના તાબાને હતું, તે સિરોહીના નામદાર મરહુમ શિવસિંહજીએ સંવત ૧૮૭૬ના જેઠ સુદિ ૫ ને ગુરુવારે શ્રીબામણવાડજી તીર્થને ચડાવ્યો–અર્પણ કર્યો છે. તે શ્રીબામણવાડજીને તાબે છે. તેને તામ્રપત્રને લેખ શ્રીબામણવાડજીના કાર્યાલયમાં મેજૂદ છે. વીરવાડા ગામની બામણવાડજીના કારખાનાના ભાગની આશરે બે હજાર રૂપિયાની વાર્ષિક ઉપજ આવે છે. બાકીના ભાગની ઉપજ વિરવાડાના જાગીરદાર ઠાકરને જાય છે. - વીરવાડામાં “ધાંધલા” અને “પીપરીઓ એ નામના બે અરટે (મેટા કૂવા રિંટી સાથેનાં ખેતરે) છે, તેની ઉપજને પિતાને અરધો ભાગ વીરવાડાના જાગીરદાર ઠાકરે બામણવાડજીને અર્પણ કરેલો છે. એટલે એ બંને અરટે. શ્રીબામણવાડજીના કારખાનાના સ્વતંત્ર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy