SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ અણુદાચલ પ્રદક્ષિણા પીંડવાડાના દરવાજા બહાર, થોડે છેટે એક મોટી વાવ છે, તે પણ બામણવાડજીના કારખાનાના તાબાની છે. આખા કંપાઉંડના કેટના ત્રણે દરવાજાઓ ઉપર શ્રીબામણવાડજના કારખાના (કાયોલય)નાં મકાન બનેલાં છે. તેમજ અહીં ખાસ નગારખાનું પણ બનેલું છે, જ્યાં હમેશાં ચોઘડિયાં (નેબત) વાગે છે. વીરજીની દેરીઃ વરવાડાના દરવાજાની બહાર સિહી સજનરેડની નવી પાકી સડક નીકળી છે, તેની પાસે જ એક નાનું તળાવ છે, તેના કાંઠા ઉપર એક સ્થાન (દેરી) બનેલ છે, તે “વરજીની દેરી” એ નામથી લેકેમાં પ્રસિદ્ધ છે. દેરીમાં વીરજીની મૂર્તિ નથી પણ પિંડરૂપ સ્થાપના છે. તે સિવાય બીજી ઘોડેસવારવાળી ઘણી આકૃતિઓ ત્યાં રાખેલી છે. અઢારે વર્ણના લેકે આ “વીરજીની માનતા માને છે, ફળ-પુષ્પ ચડાવે છે. આ “વિરજી” તે “શ્રીમણિભદ્ર વર’ હશે એમ જણાય છે, અને તેથી જ આ સ્થાન “વીરજીની દેરી” તરીકે પ્રસિદ્ધ થયું હશે. આ સ્થાન શ્રીબામણવાડજીના કારખાનાને તાબે છે. દેખરેખ અને પૂજા પણ શ્રીબામણવાડજી કારખાના તરફથી જ થાય છે. શ્રીમહાવીર જૈન ગુરુકુળઃ આબુવાળા શ્રીમાન વિજય શાંતિસૂરિજીએ સં. ૧૯૮૯ ૫ ત્રણે દરવાજા અને તેની ઉપરનાં મકાનો સહિત શ્રીબામણવાડછના આખા કંપાઉંડને કાટ લગભગ એકસો વર્ષ ઉપર સિરોહીના નામદાર મહુંમ મહારાવ શ્રીશિવસિંહજીએ બંધાવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy