SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ વીરવાડા ખાતું હશે, ગામ આખું સળંગ હશે. પાછળથી વીરવાડા ગામ અને આ મંદિર પાસેની વસ્તી વચ્ચે કાંઈક અંતર પડવાથી આ એક જુદે વાસ થઈ ગયે હશે, તેથી જ તે વાસીયાના નામે ઓળખાતો હશે. પણ ગામ તે વરવાડા જ સમજવું જોઈએ, કારણ કે શ્રી બ્રાહ્મણવાડજીના મંદિરમાં પગલાં જેડી ઉપરના વિ. સં. ૧૭૧ના લેખમાં વીરવાડા ગામની નજીકમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની સન્મુખ આવેલા શ્ભમાં રહેવાવાળા મંત્રી વણવીરનાર વંશજોએ પાદુકા કરાવ્યાને ઉલેખ છે, તે ઉપરથી જણાય છે કે તે વખતે આ ગામનું (મહાવીર સ્વામીના મંદિર પાસેની વસ્તીવાળા ભાગનું) પણ નામ તે વીરવાડા જ હતું અને ઉક્ત સંવતમાં મહાવીરસ્વામીના મંદિર પાસે વસ્તી હતી, તેમાં થુભ શબ્દ લખેલે છે તેને અત્યારે કેઈને પત્તો નથી. કદાચ મંદિર સામેના બગીચામાં તે વખતે શૂભ જેવું કંઈક હોય, અથવા આ મંદિરની આસપાસની જગ્યાને “શૂભકહેતા હોય. મંદિરની આશાતના દૂર કરાવવાની તથા સારી રીતે સંભાળ લેવાની જરૂર છે. ગામના બાવન જિનાલય મંદિરની તથા ઉક્ત મંદિરની એક જ પૂજારી પૂજા કરે છે, તેથી આ ૨ મંત્રી વણવીર સિરોહીનિવાસી વીશા પોરવાડ-જ્ઞાતીય શાહ ગાગા અને તેમની ભાર્યા મનરંગદેના પુત્ર હતા. મંત્રી વણવીરની ભાર્થી પસાદે નામે હતી. તેમને ચાર પુત્રો-૧ શા. રાઉત, ૨ શા. લખમણ, ૩ શા. કર્મચંદ અને ૪ શા. દુહિચંદ–હતા. આબુ ઉપરના અચલગઢના ચૌમુખજીના મંદિરમાંના સં૦ ૧૬૯૮ના પાંચ લેખોમાં આ કુટુંબની વંશાવલીનાં નામે આપેલાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy