SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ અર્બુદાચલ પ્રદક્ષિણ ભગવાનનું મંદિર ગામમાં છે. તેમાં મૂળનાયકજીની મનહર મૂર્તિ પંચતીર્થીના પરિકયુક્ત છે. મૂળનાયકજીની પલાંઠીના સમુખ ભાગમાં બાજુએ કે પાછળ પણ લેખ જણાતું નથી. પરિકરની ગાદીની નીચે કદાચ લેખ હશે પણ જે ઠેકાણે લેખે લખાય છે તે પટ્ટીને આરસની લાદીઓ જડતાં દબાવી દીધેલી છે. મૂળનાયકજીના પરિકરની ગાદીમાં વચ્ચે દેવી, તેની નીચે બે હરણ, બંને બાજુએ એકેક હાથી અને સિંહ છે. વળી એક તરફ યક્ષ અને બીજી તરફ યક્ષિણી અંબિકાદેવી છે. મૂળગભારામાં મૂળનાયક'ની એક જ મૂર્તિ છે. ગૂઢમંડપમાં જિનમત્તિઓ ૧૩, એક પથ્થરમાં ચેડી દીધેલી બેડી નાની શ્યામમૂર્તિ ૧, અને મંગળમૂર્તાિ યુક્ત બારશાખને ટુકડા એક છે. તેને પણ મૂર્તિ તરીકે સ્થાપન કરી દીધેલ છે. પરિકરમાંથી છૂટા પડી ગયેલા કાઉસગિયા ૧, અંબાજીદેવીની મૂર્તિ ૧, યક્ષની મૂર્તિ ૧, આરસપાષાણ પર કરેલો યંત્ર ૧ છે. નવાકીમાં જિનમૂર્તિ ૨ છે. ભમતીની દેરીઓમાં પંચતીર્થીના પરિકરવાની મૂર્તિ ૧ અને પરિકર વિનાની મૂર્તિઓ ૪૩ છે. આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચોકીઓ સભામંડપ, શૃંગારચોકી, અને ચારે તરફ ફરતી શિખરબંધી દેરીઓ ૪૬ થી યુક્ત બનેલું છે. બાજુમાં એક દરવાજો છે. દેરીઓ ઉપર ૪૭ શિખરે છે. આમ તો દેરીઓ ૪૦ છે, અને બંને બાજુએ એક એક ગભારે ત્રણ ત્રણ ખંડવાળો છે, તે ગણતાં કુલે ૬ થાય. શુંગારકીની બહાર એક નાનું કંપાઉન્ડ છે, તે કંપાઉન્ડમાં જમણા હાથ તરફ એક ભેંયરું છે. તેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy