SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સિરોહી છે. તેના ઉપર સં. ૧૮૫૧ નો લેખ છે ને તેની ભ૦ શ્રીવિજ્યલમીસૂરિએ પ્રતિષ્ઠા કરી છે. ત્રીજી પાદુકા ભ૦ શ્રીહીરવિજયસૂરિના શિષ્ય ભ૦ શ્રીવિજયસેનસૂરિ, તેમના શિષ્ય ભ. શ્રી વિજયતિલકસૂરિ, તેમના શિષ્ય ભ૦ શ્રીવિજયામુંદસૂરિ, તેમના શિષ્ય ભ૦ શ્રીવિજયરાજસૂરિ, તેમના શિષ્ય ભ. શ્રીવિજયમાનસૂરિની છે, તેમના ઉપર સં૦ ૧૭૯૫ને લેખ છે અને તેની શ્રીવિજયદ્ધિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ચાથી પાદુકા શ્રીવિજયસૌભાગ્યસૂરિજીની છે. તેના ઉપર સં. ૧૮૫૧ નો લેખ છે અને તેની શ્રીવિજયલક્ષ્મી સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. પાંચમી પાદુકા ભ૦ શ્રીવિજયઉદયસૂરિજીની છે. તેના ઉપર સં. ૧૮૫૧ ને લેખ છે, ને તેની શ્રીવિજયલક્ષ્મી સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. છઠ્ઠી પાદુકા ઉપાધ્યાય શ્રીખુશાલવિજયગણિની છે, તેના પર સં. ૧૮૫૧ ને લેખ છે ને તેની શ્રીવિજયલક્ષ્મી સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૬-૧૭) નવા મંદિરે ઉપર્યુક્ત હકીકત અમે સં. ૧૯૮૭માં સિરોહી ગયા તે વખતની છે. તે સમયે સિરોહીમાં કુલે ૧૫ મંદિર હતાં. ત્યાર પછી દેરાશેરીમાં જ બે નવાં મંદિરે થયાં છે. આ બંને મંદિર નાનાં છે. તેમાંથી એક કઈ પણ (નામ યાદ નથી) તીર્થકર ભગવાનનું મંદિર છે. બીજું શ્રીગૌતમસ્વામીનું મંદિર છે. શ્રીગૌતમસ્વામીના મંદિરમાં મૂળ ના. ના મુખ્ય સ્થાને ગૌતમસ્વામીની મૂર્તિ સ્થાપના કરેલી છે અને તેમની બંને બાજુમાં એક એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy