________________
લે. ૧.
અવલોકન.
( ૨૧૫) “આદ્ય' લુણિગ હતે. લેખમાં લુણિગ પછી લુંઢ અને લુખ્ખ આપેલા છે, પણ એમ નથી કહેલું કે તેઓ તેના નાના ભાઈ હતા અગર તેઓને કોઈ પણ જાતને સંબંધ હતે. ઉંટિગદેવના લેખની હકીક્તમાં મેં લુણિગ અને લાવણ્યકર્ણને એક ગણેલા છે, અને લુંઢ તથા લુમ્ભને ભાઈએ ગણ લંઢને લુંઢ (લૂંટિગ) અને લુમ્સને લાવણ્યવર્મન કહ્યો છે. બીજા લેખો જડી આવશે જેના ઉપરથી મારૂં ખરાપણું અગર બોટાપણું બહાર આવશે. વળી મારે કહેવું જોઈએ કે મારા મિત્ર મી. ઓઝા જેમનું પિતાના દેશનું જ્ઞાન અગાધ છે તેમના કહેવા પ્રમાણે લુણિગ, લૂંઢ અને લુમ્ભ (લસ્મક) એકજ માણસનાં નામ છે. અને જે બધાં “લુમ્સ” શબ્દના સંસ્કૃત રૂપે છે અને જે “આબુને પ્રખ્યાત જીતનાર “રાવલંભા” ” નું નામ છે. જે મી. એઝાનું કહેવું ખરૂં હોય તે ઉપર પાન ૮૩ ઉપર પ્રસિદ્ધ થયેલી વંશાવળીની છેલ્લી લીટીઓ ફેરવવી પડે. મારી જેમ મી. ઓઝા પણ તિહુણક (તિહણ) તેજસિંહનો નાનો ભાઈ છે એમ કહે છે, પણ તેમના મત પ્રમાણે તેજસિંહના પુત્ર કાન્હડદેવ સાથે આ બન્નેને ઉંટિગ (લુંઢ, લુણિગ, લુમ્ભ)ની નીચે મૂકે છે.
જ્યારે આ લેખ વિ. સં. ૧૩૭૮ માં રચાયે ત્યારે લક્ષ્મ મરણ પામ્ય હતું, અને તે વખતે આબુને રાજ્યકારભાર તેજસિંહ ચલાવતે હશે.
આ લેખના ત્રીજા વિભાગમાં (કડી ૨૪-૩૮) જે માણસોએ દેવળ સમરાવ્યું (લલ્લ અને વીજડ) તેમના વંશના માણસોનાં કેટલાંક નામ વિષે કહેલું બીજું કાંઈ વધારે નથી. એ નામે નીચે પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org