SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ त्रिषष्टिशलाकापुरुषचरित्रम् १७१ ૯૦. ઘરનું પવિત્રપણું થાય, ઉત્તમ મનુષ્યો સાથે સંગતિ પણ થાય, સુકૃતનું શ્રવણ, કુકર્મથી અટકાવ, નમ્રતાની શક્યતા, ધર્મ કરવામાં પણ ઉત્સાહ, ક્યારેક પર્વાદિકની આરાધના, મોહાદિનો નાશ, સાધુને વસતિના દાનથી આ ગુણો થાય છે. ૯૧. કામદેવનું જાણે ધનુષ્ય શેરડીનો ટુકડો છે અને બાણ ફૂલો છે, એ પ્રમાણે નિશ્ચિત વાત કવિવર્ણના જ છે, વળી ત્રણ વિશ્વને સ્પૃહા કરતા એવા આને જિતવા માટે સ્ત્રીઓનું શ્રેષ્ઠ શસ્ત્ર ભ્રમર જ છે. ૯૨. રાજ્ય કુકર્મવાળી કુગતિનું નિમિત્ત છે તે પ્રમાણે જાણતો હોવા છતાં પણ મનુષ્ય એનાથી નિવૃત્ત થતો નથી તો બીજુ શું ? ગર્વથી ગુરુની નિંદા કરે છે, કષ્ટરૂપી મોટા સમુદ્રમાં મગ્ન થાય છે, હંમેશા સંતાપ પામે છે, પોતાની પ્રતિકુળતાને યાદ કરે છે, ત્યારે વળી કોઈપણ આનું રક્ષણ નથી. ૯૩. સમગ્ર પૃથ્વી ઉપર પોતાને વિખ્યાત કરે છે, સ્થાને સ્થાને (પોતાને) ઘેરાયેલા જુએ છે, પોતાનું અને બીજાનું પણ અંતર જાણે છે અથવા મહાતીર્થોની ઉપાસના કરીને પાપના સમુહનો પણ નાશ કરે છે, યાત્રામાં પ્રવૃત્ત થયેલ માણસ ઈચ્છિત અને અદ્ભુત શું શું પ્રાપ્ત કરતા નથી ? ૯૪. સુરપુનાગવૃક્ષથી યુક્ત સુવર્ણથી પૂર્ણ શરીરવાળો આ મેરુ પર્વત કોઈને પણ વડે જોવાયેલો નથી, રોહણગિરિ ઉપર અતિસ્પષ્ટ રત્નોને કોણ જુએ છે? માણિક્યરત્નની કાંતિથી ચુંબિત કર્યું છે આકાશ જેણે એવો આ પર્વત દેખાયે છતે બહાર નીકળેલા કીરણવાળા નક્ષત્રોને વિષે પણ જોનારાની રત્નની બુદ્ધિ અટકી જાય છે. ૯૫. જેની ઉપમા ન આપી શકાય તેવા જ્ઞાનના ભંડાર એવા અરિહંત ભગવંતો, તે પછી વિદ્યા, મંત્ર, ઔષધિ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.003692
Book TitleTrishashti Shalaka Purush Charitram
Original Sutra AuthorN/A
AuthorJineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year2008
Total Pages234
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy