SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) ભાજપ્રબંધ ભાષાંતર. આપવાનાં સમર્થ છે, દાન એ ઇંદ્રની અસરાઓ સાથે શીઘ કીડા કરાવવાની કળામાં કુશળતાને ધારણ કરે છે, દાન એ મેક્ષના દરવાજા ભાંગી નાંખવામાં ઈદ્રિના દેદીપ્યમાન વજી સમાન છે. અને દાન એ જગતના પ્રાણુઓના પુણ્યસમૂહરૂપી પ્રાસાદ ઉપર સિંહધ્વજા તુલ્ય છે.” તથા હે રાજન! ચોથા પ્રશ્નનો જવાબ આ ધૂતકાર–જુગારી છે, કારણકે નટ અને વિટ જનોની સંગતિ કરવી, દ્રવ્ય ચેરવું, બંધનમાં પડવું, માર ખાવા, અપવાદ , ભજન અને વસ્ત્ર વિગેરેને અભાવ તથા સ્વજનો તરફથી મળતા ધિક્કાર વિગેરેથી તેને સુખ તે લેશ પણ નથી અને સર્વ વ્યસનોરૂપી લતાના મૂળી કંદરૂપ ઘત સેવવાના પાપે કરીને પરલોકમાં નરકપાત થવાનું હોવાથી ત્યાં સ્વનિમાં પણ સુખ નથી. કહ્યું છે કે- પાપ કામ કરનારાઓને મરવું પણ અહિતકારક છે, અને જીવવું પણ અહિતકારક છે; કેમકે મર્યા પછી નરકમાં પડે છે અને જીવતા હોય તે વર વધારે છે.” તથા જુગારી માણસ કુળને કલંક લગાડે છે, સવનો શત્રુ થાય છે, ગુરૂજનને લજજા પમાડનાર થાય છે, ધર્મમાં વિન કરે છે, ધનને નાશ કરે છે, દાન તથા ભગવડે તજાય છે, પુત્ર, સ્ત્રી, પિતા, માતા વિગેરેને પણ છેતરે છેલુંટે છે, દેવ ગુરૂને ગણતું નથી, કાય અકાયનો વિચાર કરતું નથી, શરીરને સંતાપ પમાડનાર થાય છે અને દુર્ગતિને પથિક થાય છે, તેથી કેઇએ પણ છૂત રમવું નહીં.” વળી “હે રાજન્ ! ધૂતકીડા વેશ્યાની જેમ લજજા રહિત અને ધનને નાશ કરનારી છે, તેથી તે પરિણામે કેને નગ્ન કરનાર નથી થતી? જુગારીને કદાપિ વખતસર ભાજન, નિદ્રા, દેવપૂજા એ સ્નાન દાન વિગેરે કાંઈ પણ હેતું નથી. હે ભોજરાજા! કોઈને પરલેક સારો હોય છે, કેઇને આ ભવ સારો હોય છે, કેઇને બન્ને લેાક સારા હોય છે અને કોઈને બન્ને લેક હણાયેલા એટલે દુ:ખદાયક હોય છે. આ પ્રમાણે તે ગણિકાના ચારે પ્રશ્નના ઉત્તર સાંભળી આશ્ચર્ય પામેલા ભેજરાજે સેળ અસ્વાર સહિત તે ગણિકાને વસ્ત્ર, આભૂષણ વિગેરેવડે સારો સત્કાર કરી પાટણ મોકલે. એકદા તક, વ્યાકરણ, જ્યોતિષ અને વૈદ્યકશાસ્ત્રમાં અતિ નિપુણ જાણે સરસ્વતીના અવતાર હેાય તેવા ચાર પંડિતે કળાના પાત્રરૂપ વિદ્યાર્થીઓ સહિત, વાજિત્ર અને ચામર વિગેરે આડબર પૂર્વક દક્ષિણ ડેરામાં રેખાને પામેલા વાદીઓને પણ જીતનારા, અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy