SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૨ જે. (૫) ઉપર ઈર્ષ્યાળુ થયેલા તે પંડિતો તેમને મૃત્યુ પમાડવાની ઇચ્છાથી બોલ્યા કે –“ રાજા ! આ નગરીમાં એક વણિકનું સાત માળનું ઘરે કેવળ ખાલી છે, તે એમને નિવાસ કરવા આપો. તે સાંભળી રાજાએ તેમને તે ઘરમાં રહેવાની આજ્ઞા આપી, એટલે તે પાંચ જણ તે ઘરમાં જઇને રહ્યા. તે ઘરને માલીક ધનાઢય અને વેપારી હતા. આઠ કેટિ ધનનો સ્વામી હતા. તેણે પ્રથમ ચાર કટિ ધન ઘરના ચાર ખુણામાં ગુપ્ત રીતે નિધાનમાં નાખી (દાદી) બાકીનું ચાર કેટિ ધન વેપારમાં રાખ્યું હતું. તેની સ્ત્રી વંધ્યા હતી, એકદા તે અધિક ધન મેળવવા માટે લોભી થયો. કહ્યું છે કે પ્રાયે કરીને ધનિકને જ ધનને વિષે ઘણું તૃણું હોય છે. જુઓ બે કટિવાળું ધનુષ્ય લક્ષને માટે તૈયાર થાય છે. પછી તે શ્રેષ્ઠી ચાર કટિધન લઇને વહાણ રસ્તે ચાલો. કહ્યું છે કે –“ ધનવડે જેની બુદ્ધિ અંધ (લાભાંધ) થઈ છે એવા પુરૂષ જે દુગમ અરણ્યમાં ભમે છે, વિકટ દેશાંતરને ઓળંગે છે, ગહન સમુદ્રમાં પ્રવેશ કરે છે, ઘણું કલેશવાળી ખેતીને કરે છે, પણ સ્વામીની સેવા કરે છે અને ગજઘટાના સંઘથી દુ:ખે કરીને ગમન કરી શકાય એવા રણસંગ્રામમાં જાય છે, તે સર્વ લેભને જ વિલાસ છે.” હવે મધ્ય સમુદ્રમાં જતાં દેવગે ઉત્કટ પ્રતિકૂળ વાયુ વાવા લાગે, અને તેના સર્વ વહાણ ડૂબી ગયા. તે વખતે ડુબતાં ડબતાં તે વ્યવહાર વિચાર કરવા લાગ્યો કે—જે આ સંકટમાંથી હું મુક્ત થાઉ તો ચત્ય વિગેરે સાત ક્ષેત્રમાં ધન વાવીને ચિરકાળથી સંચિત કરેલી લક્ષ્મીનું ફળ હું ગ્રહણ કરીશ.” આ પ્રમાણે શુભ ધ્યાનથી મરીને તે વ્યંતર થયે, અને ધન ઉપરના મેહથી તે પોતાના આવાસમાં જ અધિષ્ઠાયિક થઇને રહ્યો. તેની ભાર્યા ધન રહિત હોવાથી પિતાના પિતાને ઘેર ગઈ. ત્યારપછી એ ઘરમાં જે કંઈ રહેવા આવતું તેને ભય બતાવી છળીને તે વ્યંતર મારી નાંખતે હતે. આ સર્વ વૃત્તાંત કોઈ માણસે તે વિદ્વાન કુટુંબને તે દિવસે કહ્યો, તેથી રાત્રીએ વારે પ્રમાણે એક એક જણે જાગવાનું રાખ્યું. હ્યું છે કે–“પ્રાય ૧ ધનુષને બે કોટિ એટલે બે અગ્રભાગ હોય છે, તેની ઉપર પ્રત્યંચા ચડાવવાથી તે લક્ષ્ય એટલે નિશાન માટે થાય છે. બીજો અર્થ એ કે બે કોડવાળો લાખ મેળવવા તૈયાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy