SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૭ મે. (૨૧) તેઓ ઘણું શસ્ત્રો મૂકે છે (છોડી દે છે), અને તમારે શસવડે જ્યારે તેઓ હણાય છે, ત્યારે તેઓ દેવીના પતિઓ થાય છે. (સ્વ જાય છે ) અને તમે તો માનુષીને જ પતિ રહે છે, છતાં તેઓની નિંદા અને તમારી સ્તુતિ થાય છે તેનું શું કારણ? તે કહે.” ત્યારપછી એક નિર્ધન કપૂર નામનો કવિ બે કે-“હે શ્રીકણ રાજા! વનમાં વસતી તમારા શત્રઓની સ્ત્રીઓને વિધિના વિશથી હમણાં અપૂર્વ-વિપરીત ભૂષણનો વિધિ કેમ થ? કારણ કે તેમના સુખમાં હારની પ્રાપ્તિ થઇ, બે નેત્રમાં કંકણને સમૂહ આવ્યો, નિતંબ ઉપર પત્રાલિ (પીળ) થઈ અને બે હાથ *તિલકવાળા થયા.”આવું વર્ણન સાંભળી નાચિરાજ નામને કવિ બોલ્યો કે-“હે કપૂર કવિ! તમે જે “વિધિના વશથી બેલ્યા તેને બદલે “ તમારે વશથી એમ બેલવું જોઈએ.” તે સાંભળી પ્રસન્ન થયેલા શ્રીકણ રાજાએ કપૂરકવિને દાન આપવું હતું તે નહીં આપતાં નાચિરાજકવિને આવ્યું. તેમાં સુવર્ણ દશ ભાર અને એકવીશ હાથી કણ રાજાએ નાચિરાજને આવ્યાં. તે સર્વ લઇ મોટા ઉત્સવપૂર્વક પોતાને ઘેર ગયો. કપૂર કવિ પોતાને ઘેર ખાલી હાથે ગયે, તેને જોઈ તેની ભાર્યા કેપ પામીને બેલી કે-“હે નિર્ભાગ્ય શેખર ! તારૂં મુખ મને ન દેખાડ.” આવું ભાર્યાનું વચન સાંભળી ખેદ પામી કપૂરકવિ નાચિરાજને ઘેર કન્યાને વેષે ગયે. તેને નાચિરાજે પૂછયું કે-“હે કન્યા ! તું કોણ છે ?” કપૂરકવિ કહે કે-“હે કવિ ! શું તમે મને ઓળખતા પણ નથી?” નાચિરાજકહે-“અહે! કપૂર! શું તું ભારતી (સરસ્વતી) છે?” કપૂર કહે-તે સત્ય છે.” નાચિરાજકહે-“ત્યારે તમે કેમ વિલંળ છે ?” ક૨-“હે વત્સ ! હું ચોરાઈ ગઈ છું, તેથી વિલંળ છું.” નાચિરાજ-“હે માતા! કેનાથી ચેરાયાં છે ? કર“વક એવા વિધાતાથી.” નાચિરાજ-“તેણે તમારું શું હરી લીધું છે ?” કપૂર-“મુંજ અને ભેજ રૂપી બે નેત્રો હરી લીધાં છે.' નાચિરાજ-“ત્યારે તમે શી રીતે રહો છે?? કપૂર-દીર્ઘ આયુષ્યવાળો શ્રી નાચિરાજ કવિ મારી અંધની યષ્ટિના સ્થાનને ભજે છે તેથી (તે મારી યષ્ટિરૂપે છે તેથી) રહી શકું છું.” તે સાંભળી પ્રસન્ન ૧ પરાભવ એવો શબ્દ મુખશ્રી બલવા લાગી. ૨ કે એટલે જળ, તેના કણનો સમૂહ અર્થાત અબુ ૩ પત્ર એટલે પાંદડાં, તેની આલિ એટલે શ્રેણિ. ૪ તિલક વૃક્ષનાં લાકડાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy