SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૪) ભોજપ્રબંધ ભાષાંતર. વાજા તરફ રહે છે, તે શુદ્રને સ્પર્શ પણ કરતો નથી, મહા દરિદ્રી છે, વેદને પામી છે, અને તેનું નામ વિષ્ણુશર્મા છે, તેને હું બ્રાહ્મણને વેષ લઈ આ ધન દાન તરીકે આપી આવીશ, કે જેથી તેને જીદગીમાં કેઈ પાસે યાચના કરવી ન પડે, તેમજ તે દુ:ખી પણ ન થાય.” તે સાંભળી મરાલ છે કે-“હે મિત્ર ! તું સત્ય કહે છે. કેમકે દાન દેતાં યુદ્ધ કરતાં અને ભણતાં જ પિતાને અને પરને રોમાંચ ઉત્પન્ન ન થાય તે તે દાન, પરાક્રમ અને વચનને ધિક્કાર છે. પરંતુ હે મિત્ર ! આ ચોરીને લાવેલા દ્રવ્યના દાનવડે તે પુણ્યરૂપ ફળ શી રીતે થશે ?” શકુંતે કહ્યું કે “અમારા બાપદાદાને આજ ધર્મ છે કે - રીવડે ધન લાવીને બ્રાહ્મણોને આપવું. મરાલે ફરી પૂછ્યું-“હે મિત્ર! મસ્તકને છેદ થાય તો તે પણ અંગીકાર કરીને તેવું જોખમ ખેડીને આણેલું આ સર્વધન તું કેમ આપી દઈ શકીશ ?” શકું તે કહ્યું-જે આજ હાથમાં છે તે વખતે ન દઈએ તો જ્યારે હાથમાં ન હોય ત્યારે ક્યાંથી અપાય ? મૂર્ખ માણસ ધન આપવાથી દારિદ્ર આવે એવી શંકાને લીધે દાન આપી શકતો નથી, પરંતુ પંડિત માણસ તો ધન સ્થિર થઈને રહેતું જ નથી એમ માનીને તેનું દાનજ કરી દે છે. મરાલ બે -વેદ ભણેલ બ્રાહ્મણ કાંઈક પાત્ર છે, અને તપસ્વી પણ કાંઈક પાત્ર છે, પરંતુ જેના ઉદરમાં શુદ્રનું અન્ન ગયું ન હોય તે સર્વ પાત્રોમાં ઉત્તમ પાત્ર છે, માટે તમારે વિચાર શ્રેષ્ઠ છે. પછી શકે તે તેને પૂછયું કે-“આ ધનવડે તું શું કરીશ?” માલે જવાબ આપે-“હે મિત્ર શકુંત! હાલ કાશી નગરીથી એક બ્રાહ્મણપુત્ર અહીં આવ્યું છે, તેણે મારા પિતા પાસે કાશીનિવાસનું ઘણું મોટું ફળ વર્ણવ્યું, તે સાંભળી બાલ્યાવસ્થાથી જ ચેરીવડે નિર્વાહ કરનાર મારા પિતાને પોતે કરેલા પાપને પશ્ચાત્તાપ થવાથી વૈરાગ્યે થયો. છે, તેથી આ ધન લઈને તે કાશી જવાના છે. આ પ્રમાણેની તે ચારોની વાત સાંભળી રાજાએ તેમની પાસે પ્રગટ થઈ તેમને ઈનામ આપ્યું અને હવે પછીથી ચેરી ન કરવાનો નિયમ લેવરાવ્યું. પછી રાજા પિતાને ઘેર આવ્યા. એકદા સંધિ, વિગ્રહ વિગેરે રાજનીતિમાં અતિ નિપુણ ડામર નામ ભીમરાજાને દૂત માલવ દેશમાંથી ગુજરાતમાં આવ્યું. તેણે ભેજરાજાની સભાનું વર્ણન કરી ભીમરાજાના ચિત્તમાં મોટું આશ્ચર્ય ઉત્પન્ન કર્યું. એજ રીતે તે ડામર પાછો માલવ દેશમાં ગયે ત્યારે તેણે ભેજરાજાની પાસે ભીમરાજાના શરીરની સુંદરતાનું વર્ણન કર્યું. તે સાંભળી ભેજરાજાએ ડામરને કહ્યું કે-“ભીમરાજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy