SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૨) ભોજપ્રબંધ ભાષાંતર. એકદા ભેજરાજાએ અભ્યાસ કરાવવાથી વિદ્વાન થયેલા પિતાના ત્રણે પુત્રોને તેમનું ભાગ્ય અજમાવવા પરદેશ મોકલ્યા; પરંતુ તેઓ દુર્ભાગ્યને લીધે જેવા ગયા હતા તેવા જ પાછા આવ્યા. તેથી રાજાએ તેમને ધિક્કાર આપે ત્યારે તેઓ બોલ્યા કે-જે અધમ વિધિ સીતાના પતિ રામચંદ્રને વિષે દુષ્ટ દૃદયવાળે થયે, પાર્થ(અર્જુન)ને અનર્થ કરનાર થયે, જીમૂત રાજાને દુઃખદાયી થયે, કર્ણરાજાને વિષે કર્ણજય-ચાડિયારૂપ થયે, ભીમપુત્રીના પતિ( નળ ) ઉપર ભીમ (ભયંકર) થયે, હરિશ્ચંદ્ર ઉપર રોદ્ર ચિત્તવાળે થયે અને શક (ઈ) ઉપર પણ વક થયે, તેવા વિધિ પાસે અમે શા હિસાબમાં છીએ ?” આ પ્રમાણે સાંભળી રાજાએ વિચાર કર્યો કે આહ ! મારા પુત્રો આવા વિદ્વાન છતાં પણ ખાલી જ પાછા આવ્યા, તો સર્વને નિર્વાહ શી રીતે થતો હશે ? એમ વિચારી તેમની આજીવિકા બાંધી આપી. ભેજરાજને સો રાણીઓ હતી. તેમાંની એક રાણુ ગોવિંદ પંડિત ઉપર આસક્ત હતી. એકદા ભોજરાજા રાત્રીચર્યાએ નગરમાં ફરતા હતા તેવામાં તે પોતાની પ્રિયાને કે પુરૂષ સાથે સુતેલી જોઈ તે પુરૂષને ઓળખવા માટે રાજાએ તે પંડિતની શિખા કાપી લીધી. પછી તે સ્ત્રીચરિત્રનો વિચાર કરતા પિતાના મહેલમાં આવ્યા. કેટલીક વારે તે (ગેવિંદ) પંડિત નિદ્રામાંથી જાગે, ત્યારે પોતાની શિખા કાપેલી જોઈ તેણે વિચાર કર્યો કે–“રાજાએ અથવા બીજા કેઈ પુરૂષે જરૂર મને રણ સાથે સુતેલે જે આ કાર્ય કર્યું છે.” એમ વિચારે તરત જ તે ઉઠી રાજાને ભ્રાંતિ થવા માટે સર્વ વિદ્વાનોની શિખાએ કાપી ઘેર આવ્યા. પ્રાત:કાળે ભેજરાજાએ સર્વ પંડિતને બોલાવ્યા. ત્યારે તેઓ ભય પામી પોતપોતાના મસ્તકને ઢાંકી ધીમે ધીમે રાજા પાસે આવ્યા. રાજાએ કેતુકના મિષથી સર્વ પંડિતોનાં મસ્તક જોયાં, તે સર્વને શિખા રહિત જોઈ વિચારમાં પડ્યો. પછી એક દિવસ રાજાએ સર્વ પંડિતને જમવા નોતર્યો. સમય થયે સંવે ભેજન કરવા આવ્યા. સર્વને માટે વાસણે મંડાવી તે ઉલટા રાણીને રાજાએ કહ્યું કે-“હે પ્રિયે ! આ સર્વ પંડિતેના પાત્રોમાં અનુક્રમે જુદા જુદા પાંચ પાંચ મેદક મૂક” ત્યારે તેણીએ સર્વનાં પાત્રોમાં પાંચ પાંચ માદક પીરસ્યા અને પોતાના ઇષ્ટ પંડિતના પાત્રમાં દશ મેદક પીરસ્યા. તે જોઈ આશ્ચર્ય પામી રાજાએ પૂછ્યું કે-“સર્વને પાંચ પાંચ પીરસ્યા અને અહીં દશ કેમ પી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy