SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૬) ભાજપ્રબંધ ભાષાંતર. આ પૂર્વાધ શ્લોક પત્રમાં લખી રાજાએ કાળીદાસને મોકલ્યા, એટલે તેણે તેનુ ઉત્તરાર્ધ આ પ્રમાણે લખ્યું: इन्दौ यद्दलितेन्द्रनीलशकलश्यामं दरीदृश्यते, तन्मन्ये परिपीतमन्धतमसं कुक्षिस्थमालोक्यते ॥ १ ॥ ( ચંદ્રને વિષે કાપેલા ઇંદ્રનીલ મણિના કકડા જેવું શ્યામ જે દેખાય છે, તે હું માનું છું કે તેણે જે અંધકારનું પાન કર્યુ છે તે તેની કુક્ષિમાં રહેલું દેખાય છે. ) રાજાએ તે વાંચી પ્રસન્ન થઈ ઉત્તરાના અક્ષર જેટલા ( ૩૮ ) લક્ષ ટંક કાળીદાસને આપ્યા. એકદા દ્વારપાળે આવી રાજાને કહ્યું કે-શ્રીશૈલ નામના પર્વતથી કેઇ બ્રાહ્મણ બ્રહ્મચારી આપના દર્શનની ઈચ્છાથી દ્વાર પાસે આવીને રહ્યો છે.” રાજાએ આશ્ચય પામી તેને આવવાનું કહ્યું. તેથી તે બ્રહ્મચારી અંદર આવી રાજાને જોઈ ચિર લીવ એમ કહી ખેડે. રાજાએ તેને પૂછ્યુ કે “ હે પૂજ્ય ! બાલ્યાવસ્થામાં જ આ વ્રત લેવુ‘ તે આ કળિયુગમાં અનુચિત છે, આવા તીવ્ર તપના આ કાળ નથી, હમેશાં ઉપવાસાદિક કરવાથી તમારૂ શરીર અતિ કૃ દેખાય છે, તેથી જો તમે ગૃહસ્થાશ્રમ અંગીકાર કરો તો કાઇ બ્રાહ્મણની કન્યા હું તમને અપાવું.’ તે સાંભળી બ્રહ્મચારીએ કહ્યું કે ‘હે રાજન્ ! તમે ઇશ્વરના અંશ છે, તેથી તમે શું શું સાધી ન શકે ? જે ધારો તે કરી શકો છે; પરંતુ હરણારૂપી મિત્રો, પર્વતની ગુફારૂપી ઘર, શાંતિરૂપી પ્રિય ભાર્યા, વનનાં વૃદ્ધનાં ફળાવડે સુખે આવિકા, વૃક્ષની ઉખડી ગયેલી છાલનાં વર્ષો અને આત્માના ધ્યાનરૂપી અમૃતરસના પૂરમાં મગ્ન થયેલું ચિત્ત, આ પ્રમાણેનું જેઆને નિવૃત્તિ સુખ પ્રાપ્ત થયેલું છે. તેઓને ચંદ્રની કળા જેવા નિર્મળ મનમાં મેાક્ષની પણ અભિલાષા હેાતી નથી.” ( તે બીજી અભિલાષા તે રોની જ હોય ? ) આ પ્રમાણે તેનું વચન સાંભળી રાજા સિહાસનપરથી ઉભા થઇ તેના ચરણમાં પડ્યો-નમ્યો, અને ખેલ્યા કે “ હે પૂજ્ય ! મને કાંઈ પણ સેવા બતાવે.” ત્યારે તે બ્રહ્મચારી મેલ્યા કે“ હે રાજન્ ! અમારી ઇચ્છા કાશી તરફ જવાની છે, તેથી તમે અમારૂ એક વચન સ્વીકારે. તે એ કે તમારી સભામાં જે પિંડત છે તે સર્વને પાતપેાતાની સ્ત્રીઓ સહિત મારી સાથે કાશી મેલા. તેમની સાથે ગાછી કરંતા કરતા હું સુખેથી કાશી પહેાંચી જાઉ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy