SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) ભોજંપ્રબ ધ ભાષાંતર જોઈએ એમ મને જણાય છે. કહ્યું છે કે અ૫ સારવાળા છતાં પણ ઘણાને સમૂહ જે એકત્ર થાય તો તે દુજય છે. ઘાસ હાથીનું ભક્ષ્ય છે છતાં જો તેનું દોરડું બનાવવામાં આવે તો તેનાથી મર્દોન્મત્ત હાથી પણ બંધાય છે. તેથી હે પ્રયા! મને આજ્ઞા આપ.” તે સાંભળી તે વિલાસવતી વેશ્યા બેલી કે-“પણને વિષે પ્રતિબિંબની જેમ જેને જોવાથી તેના સુખદુઃખને સંક્રમ જેનામાં થાય તે જ તેને પરમ મિત્ર છે. હે પ્રાણનાથે ! મારી હયાતી છતાં કેપ પામેલા રાજા પણ તમને શું કરી શકે તેમ છે ? મારે ઘેર રહેવાથી તમારા વર્ષો સુખે નિગમન થશે. તમારે રાજાનું કે તેના આપેલા વિત્તનું શું કામ છે ? નિ:શંકપણે મારા ઘરનાં ભેાંયરામાં તમે સુખેથી રહે અને આનંદ કરે.” તે સાંભળી કાળીદાસ ત્યાંજ રહી દિવસ નિગમન કરવા લાગ્યો. તે અહીં કાળીદાસના ગયા પછી લીલાવતી દેવીએ રાજાને કહ્યું કે હે દેવ ! કાળીદાસ કવિની સાથે તમારે ગાઢ પ્રીતિ હતી; છતાં આ અયોગ્ય કાર્ય એકાએક કેમ કર્યું ? અને તેને તમારે દેશમાં પણ રહેવાને નિષેધ કેમ કર્યો? શેરડીના અગ્રભાગથી અનુક્રમે જેમ જેમ ચડતા જઈએ તેમ તેમ વધારે સ્વાદિષ્ટ રસ હોય છે, તેવી સજ્જનની મૈત્રી હોય છે અને દુર્જનોની મૈત્રી તેથી વિપરીત હોય છે. એક કવિએ કહ્યું છે કે-શાક અને પીડામાં રક્ષણ કરનાર તથા પ્રીતિ અને વિશ્વાસનાં સ્થાનરૂપ આ “મિત્ર” નામનું બે અક્ષરવાળું રત્ન કેસે બનાવ્યું હશે ?” આ પ્રમાણેનાં રાણુનાં વચન સાંભળી રાજાએ કહ્યું “હે દેવી ! સાંભળ. કેઈએ મને કહ્યું કે—કાળીદાસ દાસીને વેષે અંત:પુરમાં આવી લીલાવતી દેવીની સાથે કીડા કરે છે. આ વાતની ખાત્રી કરવા માટે મેં કપટથી તાવ આવ્યાનું જણાવી તમને બનેને અહીં મારી રૂબરૂ બોલાવ્યા. ત્યારપછી તું મારી પાસે છતાં તેણે શૃંગાર રસમય ઉત્તરાધ કલાક પૂર્યો, અને તે પણ તે સાંભળી હાસ્ય કર્યું. તેથી મારી ખાત્રી થઈ કે એ વાત ખરી છે. તે પણ બ્રાહ્મણ જાતિ હણવા લાયક નથી એમ ધારીને મેં તેને દેશનિકાલ કર્યો છે.” તે સાંભળી હાસ્ય કરતી દેવીએ રાજાને નિ:શંકપણે કહ્યું કે–“હે દેવ! હુ જ ખરી પુણ્યશાળી છું કે જેને આવા ભેળા તમે પતિ તરીકે મળ્યા છે. પરંતુ જો તમે અત્યારે હું સતી છું કે અસતી છું ? તેને નિશ્ચય કર્યા વિના અહીંથી જશે તો હું અવશ્ય વિષનું ભક્ષણ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy