SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ અધિકાર (૧૩૫ ) ભેજરાજાના કંકણમાં આવા અથવાળી ચાર આર્યાઓ(લે કે) કેતરેલી હતી–“પ્રકૃતિથી જ ચપળ એવી સંપત્તિ જ્યાં સુધી સ્થિર રહી છે, ત્યાં સુધી પકાર કરવાનો અવસર છે. વિપત્તિ અવશ્ય આવવાની જ છે, તેથી તે આવશે ત્યારે ફરીથી ઉપકાર કરવાનો અવસર કયાંથી મળશે ?” ૧ “હે પૂર્ણિમાના ચંદ્ર ! તારા કિરણના સમૂહની સમૃદ્ધિવડે સર્વ ભુવનને ઉજ્વળ કર; કારણકે આ અધમ વિધાતા કેઈને ચિરકાળ સુધી સુસ્થિર રહેવા દેતો નથી. ૨ “હે સરેવર ! અથીઓને જળ આપી ઉપકાર કરવાને આ તારે અવસર છે, માટે તે ઉપકાર કરી લે, કારણકે આ જળ તો ફરીથી પણ મેઘને ઉદય થશે ત્યારે પાછું મળી શકશે.” ૩ “ હે નદી ! અત્યંત ઉન્નત થયેલું આ તારૂં પૂર થોડા દિવસ જ રહેનારું છે, પરંતુ કાંઠે રહેલા વૃક્ષોને પાડી નાંખવાનું પાપ તારે માથે ચિરકાળ સુધી રહેશે.”૪ “સૂર્ય અસ્ત થયાં પહેલાં જે ધન યાચકેને નથી અપાયું, તે ધન પ્રાત:કાળે કેનું થશે તે હું જાણતો નથી.” પ-આ પાંચ કે ભેજરાજાના પિતાના કરેલા છે. તથા–“હમેશાં ઉઠીને વિચાર કરો કેઆજે મેં શું સુકૃત કર્યું છે? કેમકે આ સૂયતે આયુષ્યમાંથી એક કકડ લઈને અસ્ત પામ્યો છે.”૧ “લેક મને વાત પૂછે છે કે તારે શરીરે કશળ છે? પરત દિવસે દિવસે આયુષ્ય ઓછું થતું જાય છે, ત્યાં અમારી કુશળતા શી રીતે સમજવી ? ૨ “કાલે કરવાનું કામ આજે કરવું જોઈએ, અને દિવસના પાછલા ભાગમાં કરવાનું કામ પહેલા ભાગમાં કરવું જોઈએ, કારણકે આનું કામ સંપૂર્ણ થયું છે કે નથી થયું તેની મૃત્યુ કાંઈ રાહ જોતું નથી.”; “શું મૃત્યુ મરણ પામ્યું છે ? કે શું વૃદ્ધાવસ્થા જીર્ણ થઈ છે ? કે શું વિપત્તિઓનાશ પામી ગઈ છે ? કે શું વ્યાધિએજ વ્યાધિગ્રસ્ત થઈ ગઈ છે? કે જેથી આ લેકે સ ગર્વિષ્ઠ થઈને ફર્યા કરે છે?”. આ પ્રમાણે શ્રીહર્ષના કરેલા ચાર કલેકે તથા ઉપરના પાંચ મળી કુલ નવ લેકોને ઈષ્ટ મંત્રની જેમ હમેશાં પ્રાત:કાળે જપતે ભેજરાજા રાજ્યાદિકમાં મમતા રહિત થયો હતો. ઈતિ વૈરાગ્ય પ્રબંધ: એકદા કાંઈ પર્વણુ હેવાથી નગરના લેકે સ્નાન કરવામાં વ્યગ્ર હતા, તેથી કેઈ બ્રાહ્મણને ભિક્ષા ન મળવાથી તેની ભાર્યાએ તેને માર્યો. વિપ્રને રાજસેવકે રાજા પાસે લઈ આવ્યા, ત્યારે તે વિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy