SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૨) ભોજપ્રબંધ ભાષાંતર. પંડિતે પૂછ્યું- “તમે શી રીતે જાણું?” મુનિ બોલ્યા–“મેદક ઉપર બેઠેલી માખી મરી ગયેલી જોઈ તે ઉપરથી જાણ્યું. આ પ્રમાણે સાંભળી પંડિતે તથા તેની સ્ત્રીએ તપાસ કરી તો જણાયું કે–તેજ દિવસે કેઇ કારણથી કેપ પામેલી ઘરની મુખ્ય દાસી સમગ્ર કળનો નાશ કરવા માટે વિષમિશ્રિત મોદક બનાવીને નાશી ગઈ છે. આ રીતે વિષનો નિશ્ચય થવાથી “ આ મુનિએ અમારા આખા કુટુંબને જીવિતદાન આપ્યું” એમ જાણુ હર્ષિત થયેલી પંડિતની સ્ત્રીએ મુનિની પાસે દહીં લાવીને મૂક્યું. ત્યારે મુનિએ પૂછયું—“આ દહીં કેટલા દિવસનું છે?” ધનપાળે હાંસીથી કહ્યું કે –“શું એમાં પૂરા પડી ગયા છે?” પછી મુનિએ તે બ્રાહ્મણના કહેવાથી બે દિવસ ઉપરાંતનું તે દહીં છે એમ જાણુ પંડિતને કહ્યું કે–“હા, એમાં પૂરા પડ્યા છે.” તે સાંભળી પંડિત સ્નાનના બાજઠ ઉપરથી ઉભો થઈ તે જોવા માટે તેમની પાસે આવ્યો. પછી મુનિએ તે દહીં એક થાળમાં નંખાવ્યું તેની પાસે અળતાને રંગ પાથર્યો.એટલે દહીંમાંથી નીકળીને તેની ઉપર દહીંના જંતુઓ ચડ્યા, તેથી તે અળતાને પુંજ દહીંના પિડની જે વેત વર્ણવાળ થઈ ગયો. તે જોઈ પંડિત વિચાર્યું કે –“અહો ! જૈનધર્મમાં જીવદયાની પ્રધાનતા કેવી છે! તેમાં પણ એની ઉત્પાત્ત જાણવાની ચતુરાઈ કેવી છે ! જૈનધર્મમાં કહ્યું છે કે મગ, અડદ વિગેરે વિદળ જે કાચા ગોરસમાં ( ઉષ્ણ નહિ કરેલા દુધ, દહીં કે છાશમાં નાંખીએ તો તેમાં ત્રસ જીવ ઉત્પન્ન થાય છે, તથા બે દિવસ ઉપરાંતનું દહીં હોય તો તેમાં ત્રસ જીની ઉત્પત્તિ થાય છે. આ સર્વ હકીકત જૈનશાસ્ત્રમાં જ કહેલી છે.” આ પ્રમાણે નિશ્ચય થવાથી તે પંડિતે શેને મુનિના શેન (ઉત્તમ) પ્રતિબોધથી સત્ય તત્ત્વના અંગીકાર પૂર્વક સમકિત ગ્રહણ કર્યું. પછી પિતે જ પંડિત હેવાથી કર્મ પ્રકૃતિ વિગેરે જૈનગ્રંથમાં તે અત્યંત નિપુણ થયો. તે હમેશાં પ્રાત:કાળે જિનપૂજા કર્યા પછી આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરતા હત-- “અહો ! જેને માટે આપણું શરીરને નાશ કરી નાખીએ તો પણ વશ ન થાય અને કદી પ્રસન્ન થાય તે પણ કાંઇક ધનાદિક અલ્પ અને અનિત્ય વસ્તુ આપે, એ કેટલાએક ગામને સ્વામી મેં પહેલાં સેવ્યું હતું, પણ હવે તે મને બુદ્ધિથી જ આરાધી શકાય અને પોતાનું શાશ્વત સિદ્ધિસ્થાન આપી દે એવા ત્રણ ભુવનના પતિ પ્રભુ પ્રાપ્ત થયા છે, તેથી પૂર્વના દિવસે નકામા ગયા તે મને દુભવે છે-સાલે છે. હે જિનેશ્વર! જ્યાં સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy