SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર જ છે. (૧૧૧) અધિકારી પાસે જઈને માગે. તે તમને લાખ ધન આપશે. તે સાંભળી તેણે કાષ્ટને ભારે પૃથ્વી પર નાંખી દઈ કેશાધિકારી પાસે જઈ કહ્યું કે –“હે મહાભાગ્યવાન ! રાજાએ મને મોકલ્યો છે, અને લક્ષ ધન આપ.' તે સાંભળી તે અધિકારીએ તેનું રૂપ દેખી હાંસી કરી કે- હે વિપ્ર ! તમારી આ મૂર્તિ લક્ષ ધનને યોગ્ય નથી.' આ જવાબ સાંભળી ખેદ પામી તે બ્રાહ્મણ રાજા પાસે જઈને કહ્યું કે- હે દેવ! કેશાધિકારી અને લક્ષ દ્રવ્ય આપતા નથી. હે રાજન ! તમે સર્વત્ર સુવર્ણની વૃદ્ધિ વરસાવે છે. પરંતુ અભાગ્યરૂપી ત્રથી ઢંકાયેલા મારા પર તેના બિંદુઓ પણ પડતા નથી. તે સાંભળી રાજાએ કહ્યું કે --“ફરીથી જઇ બે લાબ બાગે, તે આપો.' બ્રાહ્મણ ફરીથી નગરમાં ગયે, અને તે અધિકારી પાસે બે લાખ માગ્યા.” ત્યારે તે અધિકારી ફરીથી પણ હસ્યા. દ્રવ્ય આપ્યું નહીં. તેથી તે ત્રીજી વાર રાજા પાસે જ બાલ્યા કે–“મૈની જેમ તમારા વરસવાથી સર્વ વૃક્ષ નવ પલ્લવિત થયા છે, પરંતુ આકડાના વૃક્ષ જેવા અમારે તો પૂર્વનાં જે પાંદડાં હતાં તેનો પણ સંજાય છે. હ દેવ ! તે પાપી તે હંસ છે. પણ મને કાંઈ આપતા નથી.” તે સાંભળી કૌતુકી, કીડાના નિધાન અને મહેધરના અંશરૂપ શ્રીભાજે કહ્યું કે– “હે વિપ્ર ! હવે ત્રણ લાખ માગે તે અવશ્ય આપો." તે વિષે કેશાધિકારી પાસે જઈ ફરીથી કહ્યું કે–“રાજાએ મને ત્રણ લાખ આપવા કહ્યું છે. તે સાંભળીને પણ તેણે તેને કાંઇ આવ્યું નહીં. ત્યારે તે બ્રાહ્મણ જવા આવવાના બેદથી ક્રોધ પામી રાજા પાસે આવી બાલ્યો કે હે દેવ ! તે સર્વ પાપીઓ ભેળા થઈ મારી હાંસી કરે છે અને કાંઈ પણ આપતા નથી.” એમ કહી એ વિપ્ર આવા અર્થવાળ લેક બેલ્યા–એકનો મોટો ઉદ્યમ અને બીજાનું અતિ નિર્લજ્જપણું, તેમાં અમે કેની સ્તુતિ કરીએ ? સુર્ય હમેશાં અંધકારને નાશ કરે છે. અને અંધકાર હેમેરા આવ્યા જ કરે છે. તે સાંભળી રાજાએ કહ્યું- હે વિપ્ર ! તમારે ત્રણ લાખ ઉપર દશ હાથીઓ લેવા. ” એમ કહી રાજાએ તેની સાથે પોતાના એક અંગરક્ષક (હજુરી)ને કેશાધિકારી પાસે મોકલ્યો અને બ્રાહ્મણને કહ્યું કે “આ મારે સેવક તમને સઘળું અપાવશે. “પછી તે સેવકે કેશાધિકારી પાસે જઈ તેને કહ્યું કે–આ શ્રેષ્ઠ પંડિતને ત્રણ લાખ દવ્ય અને દશ હાથી આપવાના છે.” તે સાંભળી તેને તે પ્રમાણે આપી ધર્મ પત્રમાં લખ્યું કે "જાનુદ (ડીંચણ સુધી) પાણી કહેનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy