SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૬) ભાજપ્રબંધ ભાષાંતર. નીકળેલો રાજા જુએ તેમ પૃથ્વી પરથી કણ વિણવા લાગ્યા. તે જોઈ રાજા બોલ્યા કે “જેઓ પોતાના ઉદરને પૂર્ણ કરવા પણ અશક્ત હાય, તેમના જન્મથી શું ફળ ?” તે સાંભળી કવિ બોલ્યો કે-“ જેઓ શક્તિમાન છતાં પણ પરોપકાર કરતા નથી, તેથી ( તેઓના જન્મથી) પણ કાંઈ ફળ નથી.” ફરીથી રાજા બોલ્યો કે-- “અન્યની પ્રાર્થના કરે એવા પુરૂષને તેની માતા જન્મજ ન આપે. કવિ બોલ્યા કે –“જે પુરૂષ યાચકની પ્રાર્થનાને ભંગ કરે એવા પુરૂષને તેની માતા પોતાના ઉદરમાં જ ધારણ ન કરો.” તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તેને પૂછયું કે “તું કેણુ છે?” ત્યારે તે કવિ માન રહ્યો, એટલે પ્રધાનોએ રાજાને કહ્યું કે- “ આ તો રાજશેખર નામના પંડિત છે. તે સાંભળી તેઓને જન્મથી પણ કાંઈફળ નથી” એવા શબ્દ સંભારી દાન દેવામાં શુરવીર ભેજરાજાએ તે પંડિતને સે હાથી અને એક કરોડ સુવર્ણ આપ્યું. આ ઉચિત દાનને પ્રસાદ જોઈત કવિ આવા અથવા કલેક બા – જે સરોવરમાં જળના અભાવને લીધે દેડકાઓ જાણે મૃત્યુ પામ્યા હોય તેમ તેના કેટરમાં સુઈ ગયા હતા, કાચબાએ પૃથ્વીની અંદર પેસી ગયા હતા, અને માછલાં ઘણા કાદવમાં તરફડીયા મારવાથી વારંવાર મૂછ પામતા હતા, તેજ સરોવરમાં વર્ષાકાળ નહીં છતાં વાદળાંઓએ આકાશમાં ચડીને એવી ચેષ્ટા કરી કે જેથીવનના હાથીઓ પણ કુંભસ્થળ સુધી ડુબી જાય એટલા જળમાં પ્રવેશ કરી સુખેથી જળપાન કરવા લાગ્યા. તે સાંભળી રાજાએ તેને અકાળજીદ રાજશેખર એવું બિરૂદ આપ્યું. ઇતિ રાજશેખર કવિ પ્રબંધ: એકદા કે વિદ્વાનનું કુટુંબ પરદેશથી આવી ધારાનગરીની બહારના વનમાં દેવકુળમાં રહ્યું હતું. તેની પરીક્ષા કરવા માટે ભેજરાજા ગીવેશે ત્યાં ગયો. તે વખતે દાસી વાસીદુ વાળતી હતી, તેને રાજાએ કહ્યું કે भिक्षा मे पथिकाय देहि सुभगे ! हा हा गिरो निष्फलाः, कस्माद् ! ब्रूहि शुभे !, प्रसूतकमभूत्, कालः कियान् वर्तते ? । मासः, शुद्धिरभून्, न शुध्यति विभो ! प्रोद्भूतमृत्युं विना, જે વાતો ?, મમ વિત્ત રાત્રિનામા મુતઃ || 8 || હે સુભગે! મને પથિકને ભિક્ષા આપ.” દાસીએ જવાબ આપે-“અરે રે ! તમારી વાણી નિષ્ફળ થઈ રાજા–“હે શુભ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy