SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય અધિકાર (૮૯) પૂર્વક અંત:પુરમાં લઈ જશે, નહીં આઠમે દિવસે હું ચિતામાં પ્રવેશ કરીશ.” આ પ્રમાણેની તેની પ્રતિજ્ઞા સાંભળી ભાગ્યસુંદરી પ્રસન્ન થઈ. પછી મંત્રી તેજ બાબતની નિરંતર ચિંતા કરવા લાગ્યો. અનુક્રમે ઇદે દિવસે પ્રાત:કાળે રાજાને વનપાળ, બુમ પાડતે રાજસભામાં આવ્યું. રાજાએ બુમ પાડવાનું કારણ પૂછવાથી તે બે કે–“હે દેવ ! આપના ઉદ્યાનમાં પર્વતની જેવી મેટી કાયાવાળે એક ભુંડ પેઠે છે, તે આંબા વિગેરે ઉત્તમ વૃક્ષાના સમૂહને ઉખેડી નાંખે છે, માટે શીધ્રપણે તેનો ઉપાય કરે.” તે સાંભળી રાજાએ તરતજ શ્યામ બખ્તર ધારણ કરી ચતુરંગ સેના સહિત ત્યાં આવી તે ઉદ્યાનની પૃથ્વીને ઘેરી લઈને કહ્યું કે જેની પાસે થઈને તે ભુંડ જતો રહેશે તેનું મસ્તક લેવામાં આવશે.” આ પ્રમાણેના રાજાના હુકમથી સર્વ સૈનિકે સાવચેતીથી રહ્યા હતા, તેટલામાં ઘણું વૃક્ષોને તોડી પાડતાં તે ભુંડ તરફ સૈન્ય જોઈ અત્યંત ક્રોધમાં આવી અતિ ભયંકર ઘુરઘુર શબ્દ કરતા રાજાનાજ લાંબા અશ્વના પગ વચ્ચેથી નીકળી ગયો. તેની પાછળ મંત્રી સહિત રાજાએ પોતાનો અધ મૂકો. માર્ગમાં જતાં વાંસની ઝાડીમાં કઈ સિંહણના અર્ધ પ્રવેલા બાળકે ફાળ મારી રાજાના અને મારી નાંખે. તે જોઈ રાજા આશ્ચર્ય પા. મંત્રીએ રાજાને પોતાનો અધ આપી અવસર જાણું કહ્યું કે-“હે સ્વામિન્ ! આઅર્ધ જન્મેલા સિંહના બાળકે અવે મારવાનો અભ્યાસ કર્યો નથી, તેમજ કોઈને અધ મારતાં પણ જોયો નથી, છતાં પોતાના તેજસ્વીપણથી જ તેણે એકદમ ગર્ભમાંથી નીકળી અને ફાડી નાખે, તે જ પ્રમાણે કાશ્મીર દેશની રાજપુત્રીએ વેશ્યાને ધર્મ સવ્ય નથી, પણ બુદ્ધિથી જ તેણે તે વખતે ગણિકાના રૂદનનું કારણ જાણ્યું હતું. તેટલા માત્રથી જ આપે તેને એકદમ દેશનિકાલની સજા કરી તે અત્યંત અવિચારિત કાર્ય કર્યું છે. નીતિમાં કહ્યું છે કે- સહસા-વિચાર્યા વિના કાંઈ પણ કાર્ય કરવું નહીં; કારણ કે અવિવેકમેટી આપત્તિનું સ્થાન છે. અને ગુણમાં લુબ્ધ થયેલી સંપત્તિ વિચારપૂર્વક કાર્ય કરનારને સ્વયમેવ (પિતાની મેળે જઈ વરે છે.” આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી રાજાને પિતે કરેલા અવિચારિત કાર્ય માટે પશ્ચાત્તાપ થયો. તેથી તે બોલ્યો કે જે તે પ્રિયા મારી પાસે આવશે તે તેની સાથે જ હું પુરમાં ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy