SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શંક૨] महाकवि दण्डीना समयनो हिंदुसमाज [१११ રાજાઓ પ્રજાની સંભાળ રાખતા રાજાઓનો પ્રજા પ્રત્યેનો ધર્મ તેમનાં દુઃખ જાણે તેનું શમન કરવામાં તથા અપરાધીને શિક્ષા કરવામાં રહેલો છે. તેઓ ધર્માસન પર બેસી ન્યાય આપતા અને પ્રજાજનો પોતાનાં દુઃખના નિવારણાર્થે રાજાને મળી શકતા. પાંચાલશર્મા પોતાની કહેવાતી પુત્રીનું શીળ સચવાવવા તેને ન્યાસ તરીકે સોંપવા ધર્માસન પર બેઠેલા ધર્મવર્ધન રાજા પાસે જાય છે. ઘનમિત્ર પોતાની ખોવાએલી રલથેલીની ફરિયાદ કરવા અંગે રાજા પાસે બે વખત જાય છે. રામમંજરી ગણિકાની ભગિની કામમંજરી અને માતા માધવસેના રામમંજરી ગણિકાધર્મ પાળવા ના કહેતી હોવાથી તત્સંબંધમાં સ્વદુઃખ નિવેદનાર્થે અને તેના નિવારણાર્થ રાજાને મળે છે. રાજાઓ અશ્વ, ગજ, રથ અને પદાતિની ચતુરંગ સેના રાખતા અને જાતે યુદ્ધમાં ચઢતા. યુદ્ધનાં આયુધો તરીકે, કવચ, ચાપ, બાણ, ભાલા, ચÉ, લોહદંડ, બે ધારી તલવાર, બરછી અને ગદાનો ઉપયોગ કરતા. રાજાનું મૂળ સૈન્ય અર્થાત વંશપરાગત સૈન્ય, બહુ વિશ્વાસપાત્ર ગણાતું, અને રાજા પાસે પૂરતું બળ ન હોય તે તેઓ કિલામાં રહીને લડતા, એટલે આક્રમણકાર તરફથી તેમના સામે પારિ(પાર )ગ્રામિક (ઘેરા ઘાલવાની) વિધેિનો ઉપયોગ થતો. જુદા જુદા પ્રદેશના રાજાઓ વારંવાર એકમેકની સાથે યુદ્ધો કરતા, અને તે યુદ્ધો મુખ્યત્વે કરીને સાર્વભૌમત્વ પ્રાપ્ત કરવા માટે, અથવા તો લગ્ન માટે રાજકુમારીની માગણી કરવામાં આવતાં તે નકારવામાં આવ્યાથી તેને જોરજુલમથી મેળવવા માટે રાજકુમારીના પિતાના રાજ્યપર આક્રમણરૂપે, અથવા સામાનું રાજ્ય પડાવી લેવા માટે લડવામાં આવતાં. મગધપતિ રાજહંસ માલવપતિ માનસારપર પોતાનું સ્વામિત્વ સ્થાપવા હુમલો કરે છે, અને લાટપતિ મત્તકાળ પાટલીપુરના રાજા વીરકેતુની પુત્રી માટે, તેમ જ ઉત્કલ નૃપતિ ચંડવર્મા ચંપાપતિ સિંહવર્માની પુત્રી અંબાલિકાના હસ્ત અથે તેમના પિતાનાં રાજ્યો પર આક્રમણ કરે છે. વળી, મિથિલાપતિ પ્રહારવમાં એની રાશી પ્રિયંવદા સાથે રાજહંસની રાણી વસુમતીના સમતોત્સવનો આનંદ માણવા ગયો હતો તે સમયે તેના ભત્રીજા વિકટવર્માએ તેનું રાજ્ય પચાવી પાડ્યું અને તેના પરિણામે તે બે જણ વચ્ચે જે યુદ્ધ થયું તેમાં પ્રહારવર્મા બંદીવાન થયો. પછી એનો માર ઉપહારવર્મા કપટયુક્તિથી વિકટવર્માને મારીને પિતાનું રાજ્ય પાછું મેળવે છે. પ્રદેશનો રાજા નૌકાઓમાં આણેલા સૈન્યથી વસન્તને આનંદ માણવા ગએલા કલિંગપતિ કર્દમને કેદ કરે છે અને એની પુત્રી કનકલેખાને પરણવા ઈચ્છા રાખે છે. કુમાર મંત્રગુપ્ત કપટયુક્તિથી જયસિંહનો સંહાર કરે છે અને કલિંગપતિનું રાજ્ય પાછું મેળવી આપી એની કુંવરી સાથે પરણે છે. અશ્મકેન્દ્ર વસંતભાનું વિદર્ભપતિ અનન્તવમપર ચઢાઈ કરે છે, અને વનવાસીના રાજા ભાનુવર્માને ઉશ્કેરી તેની સામે લડાવે છે, અને તેનો સંહાર કરાવી તેનું રાજ્ય છતી લે છે. કુમાર વિશ્રત યુક્તિપ્રયુક્તિથી માહિષ્મતીના રાજા મિત્રવર્માનું અને ઉત્કલ નૃપતિ ચંડવર્માનું એમ બન્નેનાં રાજ્ય જીતી લે છે, તથા અનંતવર્માની પુત્રી મંજુવાદિનીને પરણી, એના પુત્ર ભાસ્કરવર્માને તેના પિતાનું વિદર્ભનું રાજ્ય વસંતભાનુને પરાજય કરી પુનઃ સંપાદન કરી આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy