SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ १०२] भारतीय विद्या [वर्ष ३ આ ટૂંક કાવ્યમાં કુમારપાલે પ્રવર્તાવેલી અમારિ ઘોષણા તથા તેણે કાઢેલા શત્રુંજયના સંઘનું વર્ણન છે. રાસના અંતે કવિ રચ્યાસંવત આપતો નથી, પણ પોતાને સમતિલકસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. હવે સોમતિલકસૂરિ સ. ૧૪૨૪ સુધી વિદ્યમાન હતા. સ. ૧૪૩૬ની એક ગ્રન્થપ્રશસ્તિમાં સોમતિલકસૂરિના શિષ્ય સમુદાયમાં “મુગ્ધાવબોધ ઓક્તિક’કાર કુલમંડનની સાથે દેવપ્રભનું નામ મળે છે. એટલે વિક્રમના પંદરમા શતકના પૂર્વાર્ધમાં આ કાવ્ય રચાયાનું સિદ્ધ થાય છે. એ કાવ્યની ત્રેવીસમી કડી નીચે પ્રમાણે છે मंत्रीय मोकली देसि देसि बहु संघ मेलावइ, धामी बहु आसीस दिई, राउ जात चलावइ । देसविदेसह मिलिय संघ पहुतउ गूजरात, बाहुड मंत्री वीनवइ ए सुणि स्वामी वात ॥ ૮. જ્યશેખરસૂરિકૃતિ “ત્રિભુવનદીપકપ્રબન્ધ' (૧પમા શતકને ઉત્તરાર્ધ) ઉપદેશચિન્તામણિ”, “ધમ્મિલચરિત', “જૈન કુમારસંભવ' આદિ સંસ્કૃત ગ્રન્થોના કર્તા અંચલગચ્છીય જયશેખરસૂરિએ સં. ૧૪૬રમાં “પ્રબોધચિન્તામણિ” નામે એક સુન્દર રૂપકગ્રન્થની સંસ્કૃતમાં રચના કરી છે. એ પછી એના વસ્તુમાં નહીં જેવા ફેરફારો કરી તેમણે ગુજરાતીમાં “ત્રિભુવનદીપકપ્રબધ” નામથી અત્યંત છટાદાર અને પ્રાસાદિક કાવ્ય રચ્યું છે. એટલે એ કાવ્ય સં. ૧૮૬૨ પછી થોડા સમયમાં ચાયું હોવું જોઈએ. ચોક્કસ વર્ષ કવિએ આપ્યું નથી. “ત્રિભુવનદીપકપ્રબન્ધની ૧૧૬મી કડીમાં નીચે મુજબ “ગુજરાતનો ઉલ્લેખ મળે છે कर्मवसिं जीव चिहुगति फिरइ, पितर तणउं तिहां तर्पण करइ । गंगातडि जल ऊरेवीइं, गूजरात तिहां आंबा पीई ॥४ ૯. હીરાણુંદસૂરિકૃત “વસ્તુપાલરાસ (સં. ૧૪૮૫) પ્રસિદ્ધ “વિદ્યાવિલાસ પવાડા'ના કર્તા હીરાણંદસૂરિએ સં. ૧૪૮૫માં “વસ્તુપાલરાસ રચ્યો છે. તેમાં વસ્તુપાલે કરેલી શત્રુંજયની તીર્થયાત્રાના સંબંધમાં જુદા જુદા દેશોનાં નામ ગણાવ્યાં છે, ત્યાં નીચે પ્રમાણે “ગુજરાતનો ઉલ્લેખ પણ મળે છે– इसउ एक श्रीशचुंजयतणउ विचारु, महिमानउ भंडारु, मंत्रीश्वरि मनमाहि जाणी, उत्सरंग आणी, यात्रा उपरि उद्यम कीधउ, पुण्यप्रसाद तेहनउ मनोरथ सीधउ । हिव अंग वंग तिलंग कलिंग......मरुस्थल लाड मेयवाड गूजरात पारिजात सिंधुजात...... मालव मरहठ सोरठ कासी कुंकण पंचाल बंगाल प्रमुख एवं विह देसना चतुर्विध श्रीश्रमणसंघ चलाविउ । ૧૩ પ્રસિદ્ધઃ પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી તરફથી. એમાંથી થોડોક ભાગ કમી કરી તથા ફરી વાર સંપાદિત કરી એ કાવ્ય સ્વ. કેશવલાલ ધ્રુવે તેમનાં પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય'માં પ્રબોધચિન્તામણિ' નામથી છપાવ્યું છે. ૧૪ આ અવતરણવાળો ભાગ સ્વ. ધ્રુવે છોડી દીધો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy