SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ અંજ? ] सादृश्यनुं स्वरूप [ ६५ અસમંજસ હોવાની આપણને ખાતરી થયા વિના ન રહે. વળી, સાથે એ પણ સ્પષ્ટ થયું કે શબ્દોને (અથવા તો જી ભાષાસામગ્રીને) તેમના વાતાવરણથી છૂટા પાડીને તેમનો ઇતિહાસ તપાસવો એ તદ્દન અશાસ્ત્રીય છે. કારણ, કોઈ પણ શબ્દનો ઇતિહાસ ઘડવામાં તેનાં ધ્વનિર્દેહ અને અર્થસામગ્રી સાથે એક યા બીજી દૃષ્ટિએ સાદૃશ્ય ધરાવતા શબ્દોનો ખૂબ જ અગત્યનો ફાળો હોય છે. આમ, ભાષાકીય ઘટનાઓના સંકુલ સ્વરૂપનો ખરેખરો ખ્યાલ સાદૃશ્યના તત્ત્વે જ આપ્યો, અહીં આપણે આ સાદૃશ્યના સ્વરૂપનાં કેટલાંક પાસાંની ઝાંખી કરીશું. સાદૃશ્યનું સ્વરૂપ સાદૃશ્યનું સ્વરૂપ પાઉલે આ પ્રમાણે સ્પષ્ટ કર્યું છે: (૧) જનનીભાષા ભારત – યુરોપીય વિભક્તદશાને પામી તે પહેલાંના દૂરદૂરના કાળની ભાષાભૂમિકામાં પણ પૂર્ણસ્વરૂપે તૈયાર થએલા શબ્દો જ હતા, નહિ કે છૂટકરૂપે રહેલા ધાતુઓ, અંગો ને પ્રત્યયો અને એ શબ્દો જુદાજુદા અંશોની મેળવણીરૂપ છે, એવી વાપરનારને ગંધ પણ ન હતી —— આ સાદી હકીકત કદી લક્ષ મહાર ન જવી જોઇએ. અને મોલનાર ખોલતી વેળા, સ્મૃતિમાં સંઘરેલા જે ભંડાર પર આધાર રાખે છે તે ભંડાર આવા પૂર્ણસ્વરૂપે તૈયાર શબ્દોનો અનેલો હોય છે તેની પાસે કાંઈ છૂટક પ્રકૃતિ અને પ્રત્યયોનો જથ્થો નથી હોતો કે જેમાંથી તે તે પ્રસંગે જરૂરનું રૂપ તેમની (એટલે કે પ્રકૃતિ અને પ્રત્યયની) મેળવણીદ્વારા ઘડી કાઢે. (૨) આમાં એવું કહેવાનો આશય નથી કે બોલનાર જે જે રૂપ વાપરે છે. તે દરેક તેનું સાંભળેલું અને સ્મૃતિસ્થ કરેલું હોય છે. એ વાત જ અસંભવિત છે. ઊલટું, તેણે કદી ન સાંભળ્યા હોય કે કાંઈ ખાસ ધ્યાન આપ્યું ન હોય તેવા વિભક્તિરૂપો, આખ્યાતિક રૂપો, વગેરે ઘડવાની પણ તેનામાં શક્તિ હોય છે. (૩) પણ આવું ઘડતર, તેના મગજમાં છૂટક પ્રકૃતિ ને પ્રત્યયોનું અસ્તિત્વ જ ન હોવાથી, તેમની મેળવણીદ્વારા કરવું અશક્ય, એટલે તેવા દરેક ઘડતર માટે, આસપાસની બીજી વ્યક્તિઓ પાસેથી પહેલેથી શીખી લીધેલા તૈયાર ઘડતરના શબ્દમીમાંનો જ આધાર લેવાતો હોય છે. એ પહેલેથી શીખી લીધેલા તૈયાર ઘડતરના શબ્દો મૂળ તો તેણે એક એક કરીને જાણ્યા હોય છે અને (૪) પછીથી વ્યાકરણી વિભાગો (Grammatical catagories)ને મળતી તેમની વર્ગણી કરી દીધી હોય છે; પણ પોતાની સ્મૃતિમાં રહેલી શબ્દમંડળીઓ વ્યાકરણના વિભાગોને મળતી આવે છે એવો તે શબ્દમંડનીઓની સ્વરૂપસ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ ખાસ કેળવણી સિવાય આવતો નથી. આ પ્રકારની ટોળાબંધી – • જુદા જુદા શબ્દોની અમુક સાદૃશ્યને આધારે કરેલી વિવિધ વર્ગી—ારણુશક્તિને ઘણી સહાયક અને છે, એટલું જ નહિ, પણ તેને માટે એવા ખીજા નવીન રૂપો ઘડવાનું સંભવિત અનાવે છે. ‘સાદૃશ્ય ’ તરીકે જે સિદ્ધાંત જાણીતો છે તે આ જ.” - ૧ મૂળ પાઉલ (Paul)ના “Prinzipien der Sprachgeschichte'' (૧૯૦૯)માંથી અંગ્રેજીમાં અનુવાદિત ટાંચણ સ્વીટ (Sweet): Collected Papers (૧૯૧૩), પા. ૧૧૨ ઉપર; યેમ્પર્સન (Jesperson): Language, પા, ૯૪. ૩.૧.૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy