SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ મારતીય વિદ્યા [ વર્ષે રૂ એ પણ ખાસ નોંધપાત્ર છે. વસ્તુપાલે ‘નૈષધ’ની નકલ કરાવી તે પછી રાજકીય પુસ્તકાલયમાં પણ એની નકલ મુકાઈ હોય એમ એ કાવ્યની સાહિત્યવિદ્યાધરી’ ટીકાની એક હાથપ્રતમાં મળતા નીચેના ઉલ્લેખ ઉપરથી જણાય છે – इत्यपरार्जुन - चौलुक्यचूडामणि - राजनारायणावतार - भुजबलमल्लमहाराजाधिराज - श्रीमद्वीसलदेवस्य भारतीभाण्डागारे नैषधस्य एकाद शमोऽध्यायः । " અર્થાત્ વીરધવલના પુત્ર વીસલદેવના ભારતીભાંડાગારમાં નૈષધ'નું પુસ્તક હતું અને ‘સાહિત્યવિદ્યાધરી' ટીકા એ પુસ્તકના પાને અનુસરતી હોવી જોઈ એ. આ પુસ્તકનો અત્યારે કોઈ સ્થળે પત્તો નથી, પણ ‘નૈષધ'ની બીજી કેટલીક તાડપત્રીય પ્રતો ગુજરાતમાં લખાયેલી મળે છે. પાટણમાં સંઘવીના પાડાના ભંડારમાં સં. ૧૩૦૪માં એટએ વીસલદેવ વાઘેલાના રાજ્યકાળમાં લખાયેલી ‘નૈષધ’ની એક પ્રત છે, જેમાં ૧૧ થી ૨૨ સુધીના સર્ગ મળે છે. એની પુષ્પિકા નીચે પ્રમાણે છે – शशांक संकीर्तनं नाम । संवत् १३०४ श्रा० शु० ३ शुक्रे ठ० मूंधेन मलेखि ॥ જેસલમેરના અડા ભંડારમાં ‘નૈષધની એક તાડપત્રની હાથપ્રત છે, જેમાં સં, ૧૩૭૮માં જિનકુશલસૂરિના ઉપદેશથી તેમના અનુયાયી એક શ્રાવકે મૂલ્ય આપીને તે ખરીદી હોવાનો ઉલ્લેખ છે. અર્થાત્ સં. ૧૩૭૮ પહેલાં તે લખાયેલી હોવી જોઇએ. એની પુષ્પિકા નીચે પ્રમાણે છે– संवत् १३७८ वर्षे श्रीश्रीमाल कुलोत्तंसश्रीजिनशासनप्रभावनाकरणप्रवीणेन सा देदापुत्ररत्नेन सा० आनासुश्रावकेण सत्पुत्र उदारचरित सा० राजदेव सा० छजल सा० जयंतसिंह सा० अश्वराजन मुखपरिवार - परिवृतेन युगप्रवरागम श्रीजिनकुशलसूरि सुगुरूपदेशेन नैषधसूत्रपुस्तिका मूल्येन गृहीता ।" પાટણના સંઘવીના પાડાના ભંડારમાં નૈષધ’ની બીજી એક તાડપત્રીય પ્રત છે, જે સં. ૧૩૯૫માં પાટણની ઉત્તરે આવેલા જંઘરાલ ગામના બ્રાહ્મણ કેશવે કોઈ સ્થળેથી પ્રાપ્ત કરેલી છે, એટલે મૂળ પ્રત તો એ પહેલાં લખાયેલી હોવી જોઇએ. નૈષધ’ના ૧થી ૧૪ સર્ગ એમાં લખેલા છે. એની પુષ્પિકા નીચે પ્રમાણે છે- ૫. ભાંડારકર ઇન્સ્ટીટયુટના સંગ્રહમાં સં. ૧૪૪૨માં લખાયેલી ‘સાહિત્યવિદ્યાધરી'ની હાથમત છે, તેમાં આ ઉલ્લેખ મળે છે, એટલે એ હાથપ્રત અથવા તેનું મૂળ પ્રતીક વીસલદેવના ભારતીભાંડાગારમાંના આદર્શ ઉપરથી ઉતારેલ હશે. 3. Descriptive Catalogue of Manuscripts of the Jain Bhandars at Pattan ( G. O, S. ), p. 64. ૭. જેસલમેરના ભંડારની જૂની હાથપ્રતો મૂળ પાટણમાંથી ત્યાં ગયેલી છે, એટલે એ બધી જ ગૂજરાતમાં લખાયેલી છે, જેસલમેરની હાથપ્રતોની અંતિમ પુષ્પિકાઓમાં મોટે ભાગે ગૂજરાતનાં જ ગામોનો નિર્દેશ છે. ૮ Catalogue ef Mss. in Jesalmere Bhandar ( G. O. S. ), p. 14, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy