SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ २२] भारतीय विद्या [वर्ष ३ થઈ ગયેલા કનોજ અને બનારસના રાજા વિજયચંદ્રના પુત્ર જયંતચંદ્ર (જે સામાન્ય રીતે ઇતિહાસમાં જયચંદ્રનામથી ઓળખાય છે તે) ને આશ્રિત હતો. જયંતચંદ્રનો રાજત્વકાળ સં. ૧૨૨૪થી સં. ૧૨૫૦ને નક્કી થયેલો છે. તેના લેખો પણ સં. ૧૨૨૫ અને સં. ૧૨૪૩ના મળેલા છે. ઈ.સ. ૧૧૯૪ (એટલે કે ૧૨૫૦)માં મુસલમાનોને હાથે જયંતચંદ્રનો પરાજય થયો હતો એ ઇતિહાસપ્રસિદ્ધ છે. એટલે શ્રીહર્ષનું આ મહાકાવ્ય વિક્રમની તેરમી શતાબ્દીના પૂર્વાર્ધમાં રચાયું હતું એમ નિશ્ચિત થાય છે. “પ્રબંધકોશ'માં વર્ણવાયેલી વિગતોને આધારે પં. શિવદત્ત એ કાવ્ય ઈ. સ. ૧૧૭૪ (અર્થાત્ સં. ૧૨૩૦)ની કંઈક પૂર્વે રચાયું હોવાનું માને છે. નૈષધીયચરિતનો ગુજરાતમાં પ્રચાર આમ નિષધીયચરિત” એ પંચ મહાકાવ્યોમાં સૌથી છેલ્લે લખાયેલું છે. છતાં તેની અંતર્ગત વિશિષ્ટતાઓને કારણે થોડા જ કાળમાં સંસ્કૃતના અભ્યાસીઓમાં એ કાવ્ય માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું. એ કાવ્યો ગુજરાતમાં પ્રચાર ઘણે વહેલો-એની રચના પછી અધી સદીની અંદર જ થઈ ચૂકયો હતો. “નૈષધ'ની સૌથી પ્રાચીન ટીકાઓ ગૂજરાતમાં જ રચાયેલી છે, તથા તેની સૌથી જૂની હાથપ્રત પણ ગૂજરાતમાં જ મળે છે, એ બન્ને વસ્તુઓ એ રીતે સૂચક છે. શ્રીહર્ષના વંશમાં જ થયેલો હરિહર નામનો પંડિત “નૈષધીયચરિતની હાથપ્રત પહેલપ્રથમ ગૂજરાતમાં લાવ્યો હતો, એનો ઉલ્લેખ રાજશેખરકૃત પ્રબન્ધકોશના હરિહરપ્રબંધ'માં મળે છે. એ સમૃદ્ધિશાળી પંડિત ગૌડ દેશમાંથી ૨૦૦ ઘોડાઓ, ૫૦ ઊંટ અને ૫૦૦ માણસોનો રસાલો પોતાની સાથે લઈમોકલે હાથે અન્નદાન દેતો દેતો ગુજરાતમાં ધોળકામાં રાણું વરધવલના દરબારમાં કેવી રીતે પ્રવેશ્યો, ત્યાં વિરધવલના મસ્ત્રી વસ્તુપાળે તેનો રસત્કાર કર્યો છતાં “કીતિકૌમુદી, “સુરથોત્સવ વગેરેના સુપ્રસિદ્ધ કર્તા પુરોહિત સોમેશ્વરે ઈષ્યને કારણે તેના તરફ કેમ ઉદાસીનતા બતાવી, હરિહરની યુક્તિથી સોમેશ્વરનો કેવી રીતે માનભંગ થયો તથા છેવટે વસ્તુપાલ અને વરધવલના પ્રયતથી સોમેશ્વર અને હરિહરની કેવી રીતે મૈત્રી થઈ વગેરે પ્રસંગ તેમાં વર્ણવેલો છે. 'નૈષધની હાથપ્રત સંબંધી હકીકત એ પછી આવે છે. હરિહર પંડિત શ્રીહર્ષનો વંશજ હઈ “નૈષધ' કાવ્ય તેને સંપૂર્ણ રીતે અવગત હતું. પ્રબન્ધકાર લખે છે – સોમેશ્વર અને હરિહર વચ્ચે રોજ ઈષ્ટગોષ્ટિ થવા લાગી. હરિહર પંડિત નૈષધ. માંનાં કાવ્યો સમયાનુસાર બોલતે. આથી વસ્તુપાલ ખુશ થતે કે-“અહો ! આ કાવ્યો અમૃતપૂર્વ છે. એકદા તેણે હરિહર પંડિતને પૂછયું–‘આ કયો ગ્રન્થ છે? પંડિતે કહ્યું – નૈષધ'. વસ્તુપાલે કહ્યું – “કવિ કોણ છે?” “શ્રીહર્ષ”. વસ્તુપાલે કહ્યું, ૪. રાજશેખરે જયંતચંદ્રને વારાણસીના રાજા ગોવિન્દચંદ્રનો પુત્ર બતાવેલો છે, પણ તામ્રપત્રોને આધારે નક્કી થયું છે કે તે ગોવિંદચન્દ્રનો નહીં પણ ગોવિન્દચંદ્રના પુત્ર વિજયચંદ્રનો પુત્ર છે. “નૈષધના પાંચમા સર્ગના અંતિમ શ્લોકમાં શ્રીહર્ષ તસ્ય શ્રી વિનયઝરાતિજનતાતા નભે મહાળે વાળિ નૈષધીયચરિતે સોંsfમપુનઃ એ પ્રમાણે પોતાને “વિજયપ્રશસ્તિ'ના કર્તા તરીકે ઓળખાવે છે. આ કતિ અત્યારે મળતી નથી, પણ તેમાં જયંતચન્દ્રને પિતા વિજયચન્દ્રની પ્રશસ્તિ હશે એ લગભગ નિઃશંક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy