SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૬: સ્તુતિ તરંગિણું : તૃતીય તરલ * ૨ (રાગ–-મોહરમૂર્તિ મહાવીરતણી.) વર્ધમાન અખિલતપ આદરે, વીશ જિનની પૂજા કરે; અંતગડ આગમ સુણે વખાણ, સિદ્ધાઈદેવી કરે કલ્યાણ. ૧ શ્રીઉપધાનતપની સ્તુતિ ૧ (રાગ-શ્રાવણશુદી દિન પંચમી એ.) મહાનિશીથ છેદ સૂત્રમાં એ, ઉપધાનતપ કહ્યું સાર તે, વહ્યાં વગર નવિ સુઝતો એ, ભણવે શ્રીનવકાર તે; વીરપ્રભુ ઈમ ભાખતા એ, વયણે હૃદય મઝાર તે, રાખતા જે ભવિ ચાખતા તે, શિવસુખ અમૃત સાર તે ૧ પંચમંગલનું કૃત ભલું એક મહાગ્રુતસ્કંધરુપ તે, તે ઉપધાન પ્રથમ કહ્યું એ, ટાળે ભવરુપ કુપ તે; પ્રતિકમણ બીજું શોભતું એ, કહે વીસ જિન ભાણ તો, શકસ્તવ ત્રીજુ દાખવ્યું એ, ભવજલ તરવા વહાણ તા. ૨ ચિત્યસ્તવ ચોથું કહ્યું એક નામસ્તવ ગુણ ખાણ તે, આગમમાંહિ ભાખીયું એ, બુદ્ધિ નિમલ શાણ તે; પંચમપદે વિરાજતું એ, હરે ભ્રમણ ભવરણ તે, છઠું શ્રુત સિદ્ધસ્તવ ભલું એ, પડિવાજે સુજાણ તે. ૩ દેવી સિદ્ધાઈ સુખકરી એ, હરતી વિશ કરેડ તે, કાજ ચકેસરી સિદ્ધ કરે એ, નહિ કઈ તેહની જોડ તે શાસનસેવા અતિ ભલી એક કરતાં શાસનદેવ તે, શાસન લબ્ધિ સેવતાં એ, મુક્તિ મલે નિત્યમેવ તે. ૪ * આ સ્તુતિ- ચાર વખત બેલાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy