________________
[૧૨] પ્રત્યેને રાગ આપણા હદયમાં પરમકેટિને પામે છે તેમ તેમ એઓશ્રીનું શાસન પણ આપણે આત્મામાં અસ્થિમજજરૂપે પરિણમી જાય છે. જિનેશ્વરની સ્તુતિ વિગેરેથી સમ્પનાદિની પ્રાપ્તિ
જ્યારે આ પરિણામ જે આત્માઓમાં જન્મે છે ત્યારે તે આત્માઓના શુદ્ધ અંતરમાં ‘તમે સઘં નિલચંદ કે જિનેહિં પર્ય”નો સુરમ્ય ઘોષ નિરંતર થયા કરે છે. જ્યારે આવા વિશિષ્ટ પરિણામ સ્થિરતાને પામે છે ત્યારે ઊંચામાં ઊંચા સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી એવા સમ્યકત્વની પ્રાપ્તિ થાય નહિ ત્યાં સુધી “સખ્યાજ્ઞાનવારિત્રામાં મોક્ષમા” મળે નહિ. જ્યારે શ્રી જિનેશ્વરભગવં તેની કલ્યાણકભૂમિની સ્પર્શના કરવાથી સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે એમ શ્રીઆચારાંગસૂત્રની નિયતિ કહી રહી છે તો પછી એઓશ્રીની સ્તુતિ દ્વારા આપણું સમ્યકત્વ ઊંચ્ચ પ્રકારને પ્રાપ્ત કરે એમાં આશ્ચર્ય શું?
શ્રીજિનભગવંતની સ્તુતિ કરવાથી શું લાભ મળે છે? એને ખુલાસો શ્રીઉત્તરાધ્યયનસૂત્ર આ રીતે આપે છે ––થુ–મંજે મતિ! નીવે હિં जणयइ ? थय-थुइ-मंगलेणं नाणदंसणचरित्ताणि बोहिलाभं च जणयई, नाण. दसणचरित्तसंपण्णे णं जीवे अंतकिरियं कम्पविमाणोववत्तिय आराहणं आराहेइ । (અધ્યયન ૨૯) હે ભગવન ! જીવ જિનભગવંતની સ્તુતિદ્વારા શું પ્રાપ્ત કરે છે? પ્રભુ જવાબ આપે છે કે-સ્તુતિદ્વારા જીવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બધિલાભ–સમ્યકત્વને પ્રાપ્ત કરે છે અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રને પ્રાપ્ત થયેલ છવ કર્મોનો અંત કરી મોક્ષનો સ્વામી બને છે. અર્થાત જિનેશ્વરેની સ્તુતિ એ પરંપરાએ મોક્ષનું સાધન છે એ વાત આપણું પરમમાનનીય શ્રીઉત્તરાધ્યયનસૂત્ર પણ પ્રતિપાદન કરી રહ્યું છે એટલે આપણને શ્રીજિનભગવંતોની સ્તુતિ કરતાં ઘણું જ આહાદ પેદા થવો જોઈએ જ. પઘાત્મક સ્તુતિઓની પસંદગીનું કારણ
સ્તુતિઓ ગદ્યાત્મક અને પધાત્મક એમ બે પ્રકારની હોય છે તેમાં પદ્યાત્મક સ્તુતિઓને જ આ ગ્રન્થમાં સંગ્રહ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org