SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ VI ક્ષયોપશમના આધારે શક્ય તેટલા સમાધાનો કરી આવ્યાં હતાં. શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન. જ્ઞાનમંદિર (પાટણ)ના ભંડારમાં રહેલી ““સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદ્રવૃત્તિ ટુંઢિકા પંચમાધ્યાય પર્વત” (ચતુષ્ક-આખ્યાત-કૃદુવૃત્તિઢુંઢિકા), પત્ર-૩૫૭, ડો. ૯૭, નં. ૨૪૦૦ તથા કાંતિવિજયજી મહારાજ સંગૃહીત જ્ઞાનભંડાર (જાની શેરી-વડોદરા)માં રહેલી ““સિદ્ધહેમશબ્દાનુશાસન ઢંઢિકાવૃત્તિ-પંચમાધ્યાયપર્યત”, પત્ર૨૯૫, પ્રત નં. ૨૦૨૦ પ્રતિને આધારે સંપાદન કાર્ય કર્યું છે. પ્રતના અંતિમપત્રમાં ગ્રંથકર્તાના નામનો ઉલ્લેખ ન હોવાથી ઢંઢિકા અજ્ઞાતકર્તકા હશે તેવું અનુમાન કરી અજ્ઞાતકકા ઢંઢિકા એવું નામ આપ્યું છે. અંબાલાલ પ્રેમચંદ શાહે બૃહવ્યાસના પહેલા અધ્યાયના ઉપોદઘાતમાં “સિદ્ધહેમવ્યાકરણ પરના ટીકા ગ્રંથોમાં” વિ.સં. ૧૫૯૧માં સૌભાગ્યસાગર મહારાજે હૈમબૃહદ્રવૃત્તિ ઢુંઢિકાની રચના કરી હતી તેવો ઉલ્લેખ કર્યો છે, તેથી સૌભાગ્યસાગર મહારાજે રચેલી ઢંઢિકા આ જ છે કે બીજી છે તે સંશોધનનો વિષય બની રહે છે. અકારાદિ ક્રમે ઉદાહરણોની જે સૂચિ આપવામાં આવી છે તેમાં સૂત્રોની અંદર આવેલા-આપેલા ઉદાહરણોનો જ નિર્દેશ કર્યો છે. મૂળ સૂત્રમાં રહેલાં શબ્દોનો તથા શ્લોકમાં રહેલા શબ્દોનો નિર્દેશ કર્યો નથી. જેમકે ! પરમાત્માનં..... શ્લોકમાં પ્રાપ્ય આદિ શબ્દો છે પણ તેનો અકારાદિ ક્રમની સૂચિમાં ઉલ્લેખ કર્યો નથી. તથા “સિદ્ધિઃ DEાત' કાર સૂત્રમાં સિદ્ધિ: આદિ શબ્દોની સાધનિકા આપી છે પણ તેનો અકારાદિ ક્રમની સૂચિમાં ઉલ્લેખ કર્યો નથી. ઉદાહરણમાં રહેલા જે શબ્દોની સાધનિકા એક વાર આપી હોય તે જ શબ્દ બીજીવાર આવતો હોય ત્યારે ત્યાં તે શબ્દની સાધનિકા સંપૂર્ણ લખી નથી પણ સૂત્રક્રમાંક લખી અતિદેશ કર્યો છે - ગ્રંથ લાઘવ માટે. જેમકે સૂત્રક્રમાંક ૧૧૨૬ માં “ધ વો રક્ષતુ' ઉદા. છે. ધર્મ: શબ્દની સાધનિકા સૂત્રક્રમાંક ૧૧૨૦ માં “ધર્મો વ: સ્વમ્' શબ્દ આગળ ૧૧૨૦ સૂત્રક્રમાંકનો અતિદેશ કર્યો છે. તે રીતે બીજે બધે પણ સમજી લેવું. ધાતુપારાયણમાં આપેલા ધાતુક્રમાંક અનુસારે જ ધાતુક્રમાંક આપવામાં આવ્યા છે. જ્યાં જ્યાં શંકાસ્પદ સ્થાનો દૃષ્ટિગોચર થયા ત્યાં ત્યાં (?) પ્રશ્નાર્થ ચિહ્ન કરી તેની બાજુમાં જ ( ) આવું ચિહ્ન કરી યોગ્ય જણાતાં સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે. | હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણથી પ્રાપ્ત થયેલી પ્રતિને આધારે પાઠાંતરો આવ્યા છે ત્યાં P. સંજ્ઞા કરી છે. મુદ્રિત પુસ્તકોને આધારે પાઠાંતરો આપ્યા છે ત્યાં તે તે પુસ્તકોના નામનો નિર્દેશ કર્યો છે. સંપાદન કાર્યમાં શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયના ગચ્છાધિપતિ પરમપૂજય વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા. તથા પરમ પૂજય વિજય શીલચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણા સતત મળતી હતી. તેમના આશીર્વાદથી જ સંપાદન કાર્ય કરી શક્યો છું. સંપાદન કાર્યમાં ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય તો તે સુધારી લેવા વિનંતિ. સંપાદન કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહભાગી બનનાર સર્વેની અનુમોદના. મુનિ વિમલકીર્તિવિજય શેઠ હઠીસિંગ કેસરસિંહ જૈન ઉપાશ્રય દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦૦૦૭ જ્ઞાનપંચમી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003291
Book TitleSiddha Hemchandra Shabdanushasane Agyat kartuka Dhundika Part 01
Original Sutra AuthorN/A
AuthorVimalkirtivijay
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2008
Total Pages252
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy