SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ සංගණී ණි પ્રકાશીય શ્રીમદ્ રામચંદ્ર વિરચિત ‘કૌમુદી મિત્રાણન્દમ્’નાટકનું પુનઃપ્રકાશન એ એક આનંદનો વિષય છે. ગ્રંથકર્તા આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ એ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા. તેમણે અનેક નાટક-કાવ્ય તથા ન્યાયગ્રંથો પણ રચ્યા છે. તેમણે રચેલ કુમારવિહારશતક કાવ્ય અમારા જ ટ્રસ્ટ તરફ્થી પુનઃસંપાદિત થઈ બહાર પડયું છે. તેમણે રઘુવિલાસ, નલવિલાસ, સત્ય હરિશ્ચંદ્ર વિગેરે નાટકો પણ રચ્યા છે. શ્રીમદ્ ગુણચંદ્ર વિ.ની સહાયથી ‘નાટયદર્પણ’ તથા ન્યાયવિષયક ‘દ્રવ્યાલંકાર’ ગ્રંથ પણ રચ્યો છે. ණිණි ? ટ પ્રસ્તુત ગ્રંથ આજથી ૮૮ વર્ષ પૂર્વે ભાવનગરની જૈન આત્માનંદ સભા તરફ્થી પ્રકાશિત થયેલ. તેનું સંપાદન મુ. ચતુરવિજયજીના શિષ્ય આગમ પ્રભાવક મુનિ પુણ્યવિજયજી મહારાજાએ કરેલ. આ પુનઃપ્રકાશન પ્રસંગે પૂર્વપ્રકાશક તથા સંપાદક પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. જિનમંદિરોના જીર્ણોદ્ધાર એ જેમ આપણું કર્તવ્ય છે તેમ જિન ને જિનમાર્ગનો પ્રકાશ કરનાર જિનાગમો-શ્રુતસાહિત્યનો જિર્ણોદ્ધાર એ પણ એટલી જ અગત્યની ફરજ છે. પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.ની પ્રેરણા અને માર્ગદર્શનને ઝીલી આ શ્રુતરક્ષાનું કાર્ય અમે આરંભ્યું. આજ સુધીમાં ૩૨૫ જેવા પ્રાચીન પુસ્તક-પ્રતોને નવજીવન બક્ષી ભારતભરના જ્ઞાનભંડારોમાં વિનામૂલ્યે ભેટ ધરાયા છે. શ્રુતદેવી ભગવતી માં સરસ્વતી અમને આ કાર્યમાં સહાયતા અર્પે તે જ અભ્યર્થના. යා Jain Education International લિ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ચંદ્રકુમારભાઈ બી. જરીવાલા લલિતકુમાર કોઠારી / પુંડરિકભાઈ શાહ මාඝලඨ For Private & Personal Use Only વટ www.jainelibrary.org
SR No.003285
Book TitleKaumudi Mitranand Nataka
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Punyavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages160
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy