SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ STRO 555555555555555555s a real curl 5555 $$$$$$$$$$$消消乐乐出出 ઈને પુનઃ શ્રાવકધર્મની આરાધના, શુક્રાવતંસક વિમાનમાં ઉત્પત્તિથી નિર્વાણ સુધીનું સ્થાનક છે. (૪) અધ્યયન : બહુપુત્રિકા આ અધ્યયનમાં રાજગૃહ, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા, ભગવાન મહાવીરનું સમવસરણ, ધર્મદેશના વગેરે વર્ણન પછી બહુપુત્રિકા દેવીનું આગમન અને તેમના વિષે ભગવાન ગૌતમ ગણધર દ્વારા ભગવાન મહાવીર પાસે કરાયેલી જિજ્ઞાસાને સંતોષવા માટે ભગવાન મહાવીર દ્વારા બહુપુત્રિકાના વારાણસીના ભદ્ર રોઠની સુભદ્રા પત્ની નામેપૂર્વભવ, તેમાં અણગાર પ્રવ્રજ્યા, સંયમ, સૌધર્મકલ્પમાં બહુપુત્રિકા દેવી, દેવલોકમાંથી ચ્યવીને જંબૂદીપના ભરતખંડમાં બિબેલના બ્રાહ્મણ કુળમાં જન્મ, નામ સોમા, વિવાહ, ૩૨ પુત્રોને જન્મ, અણગાર પ્રવ્રજ્યા વગેરે પછી નિર્વાણ સુધીના ક્થાનકનું વર્ણન છે. (૫) અધ્યયન : પૂર્ણભદ્ર આ અધ્યયનમાં રાજગૃહ નગરી, ગુણશીલ ચૈત્ય, ભગવાનનું સમવસરણ, ધર્મદેશના વગેરે વર્ણન પછી પૂર્ણભદ્ર દેવનું આગમન અને નાટ્ય પ્રદર્શન પછી ભગવાન ગૌતમ ગણધરની પૂર્ણભદ્ર દેવના પૂર્વભવ વિષયક જિજ્ઞાસા, ભગવાન મહાવીર દ્વારા પૂર્ણભદ્રના મણિવંતિકા નગરીમાં પૂર્ણભદ્રના ભવમાં કરેલા ધર્મશ્રવણ, અણગાર પ્રવ્રજ્યા વગેરેથી નિર્વાણ સુધીનું સ્થાનક કહેવાયું છે. (૬-૧૦) આ પાંચ અધ્યયનોમાંનામાનુસાર અનુક્રમે મણિભદ્રના મણિવંતિકા નગરીમાં, દત્તના ચંદનાનગરીમાં, શિવના મિથિલાનગરીમાં, ખલના હસ્તિનાપુરમાં અને અનાધૃતના કાકંઠી નગરીમાં થયેલા પૂર્વભવ અને તેમાં કરેલી સાધના વગેરેથી નિર્વાણ સુધીના ક્થાનક કહેવામાં આવ્યાં છે. ૪. પુષ્પચૂલા વર્ગ (પુચૂલિયા - પુષ્પચૂલિકા) (૧) અધ્યયન : ભૂતા આ વર્ગના આરંભે ૧૦ અધ્યયનોના નામો આપીને પહેલા અધ્યયનમાં રાજગૃહ નગરી, ગુણશીલ ચૈત્ય, ભગવાન મહાવીરનું સમવસરણ, ધર્મદેશના વગેરે વર્ણન પછી શ્રી દેવીનું આગમન અને નાટ્યપ્રદર્શન પછી ભગવાન ગૌતમ ગણધરની શ્રૃદેવીના પૂર્વભવ વિષે જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં ભગવાન મહાવીર દ્વારા શ્રીદેવીના રાજગૃહમાં સુદર્શન અને પ્રિયાની પુત્રી ભૂતા નામે પૂર્વભવ, તેમાં પુષ્પચૂલા સાધ્વીપાસે અણગાર પ્રવ્રજ્યા દરમિયાન કરેલી શ્રામણ્ય – વિરાધનાને લીધે સૌધર્મ ૫માં ઉપપાત, ત્યાંથી ચ્યવન, મહાવિદેહમાં જન્મ અને અંતે નિર્વાણ વગેરે વર્ણન છે. 06 (૨-૧૦) આનવ અધ્યયનોમાં અનુક્રમે હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઈલા, સુરા, રસદેવી અને ગંધદેવી નામની અન્ય નવ દેવીઓના પૂર્વભવમાં પુષ્પચૂલા સાધ્વી પાસે પ્રવ્રજ્યા, શ્રામણ્ય-વિરાધના અને શેષ વર્ણન પહેલા અધ્યયન મુજબ છે. ૫. વહ્લિદશા વર્ગ (વૃષ્ણિદશા) (૧) અધ્યયન : નિષદ્ધ આવર્ગના આરંભે ૧૨ અધ્યયનોના નામો આપીને પહેલા અધ્યયનમાં દ્વારિકામાં શ્રીકૃષ્ણના શાસન સમયે બલરામ અને રેવતીના ૧૨ કુમારોમાં જ્યેષ્ઠ નિષકુમારની ભગવાન અરિષ્ટનેમિનાથના સમવસરણ પછી ધર્મદેશના, શ્રાવકધર્મ, અણગાર વીરદત્તની ભગવાન અરિષ્ટનેમિનાથ પાસે નિષકુમારના પૂર્વભવ વિષે જિજ્ઞાસા, પૂર્વભવમાં નિષદ્રકુમાર રોહીડા નગરના રાજા મહાબલ અને રાણી પદ્માવતીનો વીરંગતકુમાર, આચાર્ય સિદ્ધાર્થની ધર્મદેશના પછી વૈરાગ્ય, અણગાર પ્રવ્રજ્યા, સંયમસાધના, મનોરમ વિમાનમાં ઉપપાત અને દેવલોકમાંથી ચ્યવીને નિષકુમાર તરીકે વર્તમાન જન્મ નિષદ્રકુમારની પ્રવ્રજ્યા, સંયમસાધના, દેહત્યાગથી મહાવિદેહમાં જન્મ અને નિર્વાણ સુધીનું વર્ણન છે. (૨-૧૨) આ ૧૧ અધ્યયનોમાં બલામ અને રેવતીના અન્ય ૧૧ રાજકુમારોના પૂર્વભવ અને વર્તમાન સાધના તેમજ અંતે નિર્વાણ સુધીના સ્થાનકો છે. આ નિરયાવલિકાદિ ઉપાંગમાં એક શ્રુતસ્કંધ અને પાંચ વર્ગો છે. તેના ચાર વર્ગોમાં ૧૦-૧૦ ઉદ્દેશકો છે જ્યારે પાંચમાં ઉદ્દેશકમાં ૧૨ ઉદ્દેશકો છે. આમ કુલ ૫૨ ઉદ્દેશકો છે. श्री आगमगुणमजूषा ४४ , 有555555555555555 520X
SR No.003269
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages34
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, F000, F005, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy