________________
(૧૪ )
આતો સાધુ મહારાજ છે તેથી શાંતિથી બેસી રહ્યા છે; પણ કોઈ ગૃહસ્થને કેાઈ નીચના ભરમાયાથી લખી બેસશો તો તમારે ઘણું જ સહેવું પડશે. યાદ રાખજો કે, તમે એકદમ જવાબના મુદાઓ છોડી આડાંઅવળાં લખાણોથી સત્ય વાર્તાના પક્ષકારોની જાહેર હિમ્મતને બંધ પડવાનો પ્રયત્ન કરો છે; તો શું તેથી બંધ પડી શકશે? કદાપિ નહીં. તમારા બાપાના નીચ લખાણોથી જનસમાજમાં મોટે ખળભળાટ થયો છે; એવું અનેક લેકેના મહારાજ સાહેબના ઉપર આવેલા કાગળોથી સિદ્ધ થાય છે. માટે હવે “વિનાશ કાળે વિપરીત બુધિ” જેવું ન કરતા સાચી શાસન સેવાથી આત્માનું હિત કરો. આગળ ચાલતાં પિતાની પોલ ખુલ્લી થઈ જવા પામી અને કાંઈ જવાબ ના આવો ત્યારે “લેખકને લેશમાત્ર ભાન નથી ત્યાં તેમને શું સમજાવવું ઇત્યાદિ ” બેટો બકવાદ કરીને છુટી પડયા છે; પણ દુનિયા સારી રીતે સમજી શકે છે, પુર્વધર, મૃતધર, કેવલી સમાન આચાર્ય ભગવાન તથા મહારાજા વિક્રમ, કુમારપાલ, પેથડ, જગડુશા, વરતુપાલ, તેજપાલ જેવા મહા પ્રભાષિક શ્રાવકવર્ગ આદિએ અંધારૂ તયું. અને તેમના ઘુંટણ, છાતિ વિગેરે છેલાઈ ગયા અને લોહી લુહાણ થઈ ગયા; આ વાતને સુચવનાર તમસ્તરણ નામને લેખના લેનાર જૈન પત્રકારમાં શ્રદ્ધાનું બીજ રહ્યું હોય એમ કેવી રીતે માની શકાય ? જ્યારે આવા મહા પ્રભાવક આચાર્યો આદિના વિરૂધ્ધપણુને લેખ જે માણસ લેઈ શકે, અને ખુલ્લા દિલથી પુર્વધરાની નિંદા લખનારને પિતાને છાપામાં સ્થાન આપે ત્યારે એવા માણસે આધુનિક શાસન પ્રેમી પ્રભાવક મુનિઓના તથા શ્રાવકવર્ગના વિરૂદ્ધ માં લખાણ લખે એમાં કાંઈ આશ્રય જેવું નથી.
માત્ર લોકો ઊલટે રસ્તે ન દોરવાઈ જાય એટલાજ માટે આવાં હદપારનાં નીચ લખાણને જવાબ આપવાને પ્રયત્ન કરવો પડે છે, અન્યથા હાથીની પાછળ ઘણુંએ કુતરાં ભસ્યા કરે છે. કેણ પરવા કરે છે ! આગળ ચાલતાં લખ્યું છે કે, “છેવટ તેઓ અમારી સ્વાર્થ વૃત્તિ અને ખોળો પાથરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org