SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥ नमो नमः श्रीगुरुनेमिसूरये ॥ મૈં નમઃ। “ગુંગો ગોળ તણા ગુણ ગાય” જ્ઞાનસાર, જ્ઞાનમંજરી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને ઉપાધ્યાય શ્રી દેવચન્દ્રજી; અધ્યાત્મ-વિશ્વમાં પંકાયેલાં આ ચાર નામ સાથે પ્રસંગ પાડવાનો આવે ત્યારે ભૌતિક વિશ્વનો એક પામર આત્મા કેવી અમુંઝણ અનુભવે ? એનો જાતઅનુભવ આ ક્ષણોમાં માણી રહ્યો છું. આગિયાના ભાગે સૂર્યનારાયણનાં ગુણગાન કરવાના આવે તો કેવી રમૂજ ભરેલી સ્થિતિ સર્જાય ? ટમટમિયાને શિરે ચન્દ્રમાનાં કિરણો ગણી આપવાની જવાબદારી લાદવામાં આવે ત્યારે ટમટમિયાની દશા કેવી હાસ્યાસ્પદ થાય? કાંઈક એવી સ્થિતિમાંથી આ લખનાર, આ પળે ગુજરી રહ્યો છે. આપણા અધ્યાત્મ-વિશ્વના શિરમોર સમા. આ બે ગ્રંથરત્નો અને તે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને બિરાજતા આ બન્ને ગ્રંથકાર મહર્ષિઓ, એમનાં ગુણગાન કરવાનું, અલબત્ત, કોને ન ગમે ? મને પણ ગમે જ. તક્લીફ એટલી જ કે આમ કરવા જતાં ‘ગૂંગો ગોળના ગુણ ગાય' ત્યારે સર્જાય, તેવી સ્થિતિ પેદા થવાની પાકી સંભાવના છે. હું તો આ સ્થિતિનો ખ્યાલ, આ લખતાં લખતાં, હરેક ક્ષણે અને દરેક શબ્દે રાખીશ જ; પણ પરીક્ષક જનો અને ગુણીજનો પણ આ (મારી) સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ લેખનું વાંચન કરે એવી આગોતરી વિનંતી કરી લઉં છું. સાર નામ ધરાવતી રચનાઓનો પ્રારંભ ભગવાન તીર્થંકરદેવે જ કર્યો હોવાનું જણાય છે. આવારા સૂત્રના પાંચમા અધ્યયનનું નામ ભગવાન મહાવીરદેવે તથા ગણધર શ્રી સુધર્માસ્વામી મહારાજે ‘જોસાર' એવું રાખ્યું (૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002684
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
AuthorRamyarenu
PublisherKailashnagar Jain Sangh Surat
Publication Year2008
Total Pages506
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Spiritual
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy