SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વખતે નજરે નિહાળેલાં હોય છે તથાપિ પ્રેક્ટીશ મેળવ્યા વગર બનાવવામાં આપણને મુશ્કેલી ઓછી નડતી નથી. કોઈ ઠેકાણાના વાસણ વખણાય છે, અન્ય શહેરની મિઠાઈ (પકવાન) પંકાય છે, ત્યારે અમુક જિલ્લાના વસ્ત્ર પ્રશશ્ય ગણાય છે. અને તેની નકલ કરવા પ્રયત્ન કરવા છતાં તેવી બનાવટ બીજા ઉપજાવી શકતા નથી. તેનું કારણ તેમની ગુરુગમ જ છે. આવી રીતે હરહંમેશના ચાલુ કાર્યમાં પણ ગુરુગમની જરૂર પડે છે તે પછી મંત્ર સાધનાદિ જેવા ગહનકાર્યમાં ગુન્ગમ શિવાય નાસીપાસ થવાય તેમાં નવાઈ પણ શી?. સાખ્યાદિ ભેદ. દેવાદિકની પ્રતિષ્ઠામાં તેમજ લગ્નાદિ પ્રસંગે વર્ગમૂળ, રાશિમેળ, તારામૈત્રી વગેરે જોવામાં આવે છે તેવી રીતે મંત્રાદિકમાં પણ સાધ્યાદિ ભેદે તપાસવાની ખાસ આવ શ્યકતા છે. સાધ્ય અને સાધકને મેળ ન ખાય તેમાં મંત્રાદિક આરાધન કરતાં, કરાવતાં અનેક વિઘ ઉપસ્થિત થાય, અને છેવટે પરિણામ અનિષ્ટ નિપજે છે. સાચાદિ ભેદે તપાસવાની અનેક રીતે જોવામાં આવે છે. તેમાંની થોડીક લોકોના હિતાર્થે અત્રે રજુ કરૂં તે અસ્થાને નહી ગણાય. (૧) ભદ્રગુપ્તાચાર્યકૃત અનુભવસિદ્ધમત્રદ્વાઝિશિકા પ્રમાણે– અ, ઈ, ઉ, એ, એ એ પાંચ સ્વરથી આરંભી છે, ઢ, ણ અક્ષરે વર્જિને પાંચ લાઈનમાં સર્વ માત્રિકાક્ષર લખવાં.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy