SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સરિ] પ્રસ્તાવના ૫ પાટણ ગયા, ત્યાં લાખારાણુના માનીતા મંત્રી રામદેવ અને મુડે પ્રવેશ મહોત્સવ કર્યો. સં. ૧૪૫૭માં પાટણમાં નરસીહ શેઠે કરેલા અદ્દભુત મહોત્સવ પૂર્વક દેવસુંદરસૂરિએ આચાર્યપદ આપ્યું. ઈડરના ગેવિંદ સાધુએ (જેણે તારંગાજી ઉપર રહેલા કુમારપાલે કરાવેલા વિહારનો ઉદ્ધાર કરાવ્યો) સંઘપતિ થઈ એમની સાથે શત્રુંજય, ગિરિનાર, સોપારક વગેરે તીર્થોની યાત્રા કરી તારણગિરિ (તારંગા) ના દર્શન કર્યા. પછી તેમાં અજિતપ્રભુનું નવીન મોટું બિંબ બનાવરાવી એમના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યું. રાણપુરના ધરણુ નામના સંધપતિના આગ્રહ રાણપુર જઈ તે સંઘપતિએ કરાવેલા ત્રિભુવનદીપકવિહારની સં. ૧૪૯૬માં પ્રતિષ્ઠા કરાવી. ગિરનાર પર લાબા નામના સંધપતિએ કરાવેલા ચતુર્મુખ જિનાલયમાં, મુંજિગનગરના મૂજ શ્રેષ્ટિએ ભરાવેલાં પિત્તળમય અસંખ્યાવીસી બિબો વગેરેની પ્રતિષ્ઠા કરાવી. લયમાં કે. વ્યાવિહારની વિશેષ હકીક્ત માટે જુઓ મુનિસુંદરસૂરિ કૃત ગુર્નાવલી. સં. ૧૪૫૫, ચારિત્રરત્નમણિ કૃત ચિત્રકૂટ મહાવીરપ્રાસાદ પ્રશસ્તિ સં. ૧૪૯૫, પ્રતિષ્ઠામ કૃત સેમસૌભાગ્યકાવ્ય સં. ૧૫૨૪, સેમચારિત્રગણિ કૃત ગુરુગુણરત્નાકર સં. ૧૫૪૧, જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ રા. મ. દ. દેશાઈકૃત, વગેરે દેવકુલપાટક (પ્ર. યશો વિ. ઝં.). એમના પ્રતિષ્ઠાલેખ પુષ્કળ મળે છે. સં. ૧૪૭૫-૮૫-૯૬–૯૯ ના. ૧, સ. ૧૪૮૨-૮૪-૮૫–૮૭-૮૮-૮૯-૯૧-૯૨-૯૪ ના, ૨, સં. ૧૪૪૯-૭૨–૭૪ ૭૮-૭૯-૮૧-૮૨-૮૩-૮૪-૮૫–૮૬-૮૭-૮૮ ૮૯–૮–૯૧–૯૩-૯૪-૯૫-૯૬–૯૮-બુ. ૧, સં. ૧૪૭૧-૭૪-૭૯ ૮૦-૮૫-૮૬-૮૭-૮૮-૮૯-૯૦-૯૧–૯૩ બુ. ૨, . ૧૪૮૫૧૪૯૬ (રાણપુર) જિ. ૨; વિશેષ માટે જુઓ મારો સોમસુંદરસૂરિ નામને લેખ.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy