________________
હેવાનું કારણ પ્રાચીન યંત્ર મેળવીને ફેરફાર હોવાથી લીધા છે. શ્રી કલિડ પાર્શ્વનાથને યંત્ર શ્રી વાદિદેવસૂરિકૃત સ્તોત્ર ઉપરથી ભરૂચના શ્રી મુનિસુવ્રત્તસ્વામીજીના દેરાસરના તામ્રપ્રત્ર ઉપરથી લઈને આ પુસ્તકમાં આપેલ છે. વળી આ પુસ્તકમાં શ્રી ગૌતમસ્વામિજી મહારાજનું ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. આમ તે આવાં ઘણું ચિત્રો જૂદી જૂદી રીતનાં પ્રસિદ્ધ થયાં છે, પરંતુ આ ચિત્ર તે શ્રી વજીસ્વામિજી મહારાજાએ રચેલા સ્તોત્રની ગાથાને ખાસ લક્ષ્યમાં રાખી નવું જ તૈયાર કરાવ્યું છે. વળી આ પુસ્તકમાં મહા પ્રભાવિકા શ્રી પદ્માવતી દેવીનું પણ એક ચિત્ર છે. પાટણ-ખેતરપાળના પાડામાં આવેલ શ્રી શીતલનાથજીના જિનમન્દિરમાં જે શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ છે, તે જ પ્રાચીન મૂર્તિ ઉપરથી ફેટે લઈને આ સંગ્રહમાં તે અપાએલ છે. આમ બને તેટલી સ્વચ્છ અને પ્રાચીન વસ્તુ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
અને આ પુસ્તકમાં આવી રીતે દુર્લભ યંત્ર અને પૂજ્યનાં ચિત્રો વિગેરે અપાએલ છે તેમજ જ્ઞાન સ્વયં પણ પૂજ્ય છે, એટલે વાંચક અને દર્શક બન્ને પ્રત્યે નમ્ર વિનંતિ છે કે તેઓ કૃપા કરીને જરા પણું આશાતના ન કરે.
વિશેષ મન્ત્રની સાધના કરનારા કે કરવા ઇચ્છનારાઓને સૂચવવું સ્થાને ગણાશે કે-મંત્ર સાધનામાં ગુરૂગમની ખાસ જરૂર છે અને એ વિષયમાં શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની ટીકા-મંત્રમય ટીકા રચનાર શ્રી ચન્દ્રાચાર્ય શ્રી પાદલિપ્તસૂરીજી મહારાજાની ખાસ સાક્ષી આપે છે.
૧ આ ગ્રંથમાં આવેલ ગૌતમસ્વામીજીનું ચિત્ર સુંદર જાડા કાગળ (એન્ટીક) ઉપર છાપેલું પ્રકાશકને ત્યાંથી ૦–૩-૦ કિંમતે છુટક મળી શકશે.