SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય આગમગ્રંથોમાં પ્રથમ ગ્રંથ “ઉત્તરાધ્યયન' છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્ર એટલે યોગમાર્ગનો સંદર્શક એક અભુત ગ્રંથ, સાધુ-સાધ્વીજી ભગવંતો માટે આચારપાલનનો માર્ગદર્શક ગ્રંથ !! ઉત્તમ પ્રકારના આચારો અને ઉત્તમ પ્રકારના આચારપાલકોના દૃષ્ટાંતોથી ભરપૂર પ્રત્યક્ષ પરમાત્માની દેશનાનો આ ગ્રંથ !! આ ગ્રંથના ૩૬ અધ્યયનો છે. આ ગ્રંથ ઉપર નિર્યુક્તિ, ચૂર્ણિ અને અનેક વૃત્તિઓની રચના પૂર્વના મહાપુરુષોએ કરેલ છે અને અત્યાર સુધીમાં અનેક સંસ્થાઓ દ્વારા તે તે પ્રકાશનો પ્રકાશિત થયા છે. | ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પરમપૂજ્ય શાજ્યાચાર્ય મહારાજારચિત “શિષ્યહિતા' નામક બૃહદ્દીકાની રચના થયેલ છે, એ શિષ્યહિતા વૃત્તિના આધારે ખરતરગચ્છીય મુનિશ્રીકમલસંયમ ઉપાધ્યાયવિરચિત “સર્વાર્થસિદ્ધિ’ટીકા સોલંકૃત તથા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિશિષ્ય-મુનિશ્રીજયંતવિજયસંશોધિત ઉત્તરાધ્યયનસૂત્ર “લક્ષ્મીચંદ્ર જૈન લાયબ્રેરી” આ સંસ્થા દ્વારા આગ્રાથી પ્રકાશિત થયેલ છે, તે પ્રકાશનના આધારે આ નવીન સંસ્કરણનું સંપાદન કાર્ય કરવામાં આવેલ છે. ૧ આ ઉત્તરાધ્યયનસૂત્ર “સર્વાર્થસિદ્ધિ' વૃત્તિ સહિત બે ભાગમાં “ભદ્રંકરપ્રકાશન તરફથી પ્રકાશિત થઈ રહેલ છે. આ કાર્યમાં હું તો માત્ર નિમિત્તરૂપ છું. આવા ઉત્તમગ્રંથના સંપાદન કાર્યમાં મારી પ્રેરણાને ઝીલીને પરમપૂજ્ય પરમારાથ્યપાદ શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પ્રશાંતમૂર્તિ પ્રવર્તિની પૂજયસાધ્વીવર્યા શ્રીરોહિતાશ્રીજી મહારાજાના શિષ્યરત્ના સા. ચંદનબાલાશ્રીએ પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ ૧. પૂ. ઉપા. કમલસંયમકૃત ટીકા સાથે યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર, ઈ. સં. ૧૯૨૭માં ઉત્તરાધ્યયનસૂત્ર પ્રકાશિત થયેલ છે, પરંતુ તે પ્રતો અમને પ્રાપ્ત થયેલ નથી. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy