________________
સમe
@ માણી ચાર વર્ષની ઉંમરથી જ મારા પિતાશ્રીએ મને જેમના ખોળામાં સમર્પિત કર્યો; છે મારા આયંબિલો અને પચ્ચક્કાણો જેમના સાનિધ્યમાત્રથી અખંડિત રહ્યાં; # મારા જીવનના સ્વપ્નગુ' રૂપે એકમાત્ર જેઓનું જ સ્થાન-માન હતું, છે જેઓના કાળધર્મના સમાચારે મારા જીવનમાં ઘટતીકંપ જેવી સંવેદના સર્જી હતી; ( જેમની ગેરહયાતીમાં મહિનો માસ સુધી ખાલીપો અને ખાવા-પીવાની અનિચ્છા ઘર કરી ગઈ હતી; છે જેમની આંખોમાં મને મા દેખાતી, જેમના હાથોમાં પિતાનો સ્પર્શ અનુભવાતો અને જેમની મીઠી
પ્રેરણા અને મધુર સંબોધનોથી માણ અંગે અંગમાં અધ્યાત્મના રોમાંચ ઊભા થતા; છે જેમની દિવ્ય-કૃપાથી જ મને જગતના સુવિશુદ્ધકરૂપક ગુરુદેવ પૂ.આ. શ્રીમદ્વિજય
રામચંદ્રસૂરિરાજનો ભેટો થયો; મારી દીક્ષાના સમયે રજોહરણ-પ્રદાનની વેળાએ મેં મારા ગુરુદેવની પાછળ ઉભેલા અને મને ઓધો આપતા એ મારા બાપજીનાં જાણે કે સાક્ષાત્ દર્શન કર્યા હતાં; જીવનની પ્રત્યેક પળે, કસોટીની કપરી ઘડીઓમાં, સાધના માટેનું સંમીન માર્ગદર્શન
જેઓશ્રીના શુભસ્મણે મને સંપ્રાપ્ત થતું રહ્યું છે તે સ્વનામધન્ય, વય-પુણ્ય-જ્ઞાન-પર્યાય-સંઘસ્થવિટ, વચનસિદ્ધ, મણિગુણવિશ્વાસઘામ, રાજનગણના લાડીલા, જૈનશાસન જવાહીe,
સૂરિમંત્રસાદક, ધ્યાનમગ્ન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાની ૫૦મી સ્વર્ગારોહણ તિથિ પ્રસંગે તેઓશ્રીમના પાવન પાણિયશ્રોમાં ધ્યાનશતકમ્-૨’ મહાનથનું
સાદ સમર્પણમ્ સેવકાણુ - વિજય કીર્તિયશસૂરિ. સી ની