SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા ૧૩૭ મેં તારી ઉપર જે દુશ્ચેષ્ટા કરી છે તે સર્વની ક્ષમા કરજે.' આ વાર્તાની નગરમાં ખબર પડવાથી સ્તનમાંથી દુધની ધારાને છોડતી વિનયંધરની માતા દૂરથી ત્યાં દોડી આવી અને વાછરડાને ગાય હેત બતાવે તેમ પ્રીતિપૂર્વક આલિંગન કરીને પુત્રના મુખ ઉપર ચુંબન કરવા લાગી. તે સાથે કહેવા લાગી કે “તે સ્ત્રીને ધન્ય છે કે જેણે તને ઉત્સંગમાં રાખીને સ્તનપાન કરાવ્યું.” આ પ્રમાણે કહેતી કમલા પોતાના જન્મને ધિક્કારવા લાગી. રાજાએ પોતાના નગરમાં પુત્રના આવવાનો ઉત્સવ કરાવ્યો. પછી તેને પોતાનું રાજય આપવાની ઈચ્છાથી કહ્યું કે- “હે પુત્ર! તું આ રાજ્યને ગ્રહણ કર, એટલે હું શ્રીજિનેશ્વરભગવંતની કહેલી દીક્ષા અંગીકાર કરું. આ રાજ્યને ધિક્કાર છે કે જેને માટે પોતાના પુત્રને મે ભરરાત્રે વનમાં તજી દીધો હતો.” પિતાનાં આવાં વચન સાંભળીને વિનયંધર બોલ્યો “હે પિતાજી ! જેવી રીતે તમને આ રાજ્ય તજી દેવામાં હું વૈરાગ્યનો હેતુ થયેલો છું, તેવી જ રીતે મને તમે વૈરાગ્યના હેતુ થયેલા છો, તેથી હું પણ તમારી સાથે દીક્ષા ગ્રહણ કરીશ, માટે આ રાજય વિમલકુમારને જ આપો.” વિનયંધરનો આવો નિશ્ચય જાણીને રાજાએ પોતાનું રાજય વિમલકુમારને આપ્યું અને વિનયંધરે પોતાનું રાજય પોતાના પાળક સાર્થવાહને આપી પિતાની સાથે જ વિજયસૂરિની પાસે દીક્ષા લીધી. ઉગ્ર તપસ્યા કરી સંયમમાં ઉદ્યમવંત એવા તે બન્ને પિતા અને પુત્ર કાળ કરીને માહેંદ્ર દેવલોકમાં દેવતા થયા. દેવ સંબંધી સુખ ભોગવીને આયુષ્યનો ક્ષય થતાં તે બને ત્યાંથી ચવ્યા. તેમાં પિતાનો જીવ હતો તે ક્ષેમપુર નામના નગરમાં પૂર્ણચંદ્ર નામે રાજા થયો અને જે પુત્રનો જીવ હતો તે તેજ નગરમાં ક્ષેમંકર નામના શ્રેષ્ઠીની સ્ત્રી વિનયવતીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે જન્મ્યો ત્યારથી જ વિશુદ્ધ શરીરવાળો હતો અને તેના નિર્મળ અંગમાંથી નિરંતર એવો સુગંધ ઉછળતો હતો કે જેથી તેનો સર્વ પરિજનવર્ગ પણ સુગંધિત થતો હતો. એ શ્રેષ્ઠીપુત્રને નિરંતર ધૂપથી સુગંધી રહેતો જાણીને તેને ધૂપસાર એવા નામથી લોકો બોલાવતા હતા તેથી તેનું નામ પણ ધૂપસાર પ્રખ્યાત થયું. એકદા ધૂપસારના સુગંધી દેહથી સુગંધી થયેલા લોકો રાજભવનમાં જતાં ત્યાં પણ સુગંધના Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy