SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા નેત્રમાં અશ્રુજળ લાવીને રાજા બોલ્યો–‘હે પુત્રી ! તને સર્પે ડંશી હતી. तु તદ્દન નિશ્ચેષ્ટ થઈ ગઈ હતી, સર્વ વૈદ્યોએ તને તજી દીધી હતી. અને તને ગતપ્રાણ જાણીને આ માંડવીમાં બેસાડી અમે અહીં સ્મશાનમાં તને લાવ્યા હતા. આ ચિતા પણ તારે માટે જ રચાવી હતી. તેવામાં નિષ્કારણ વત્સલ એવા આ પુરુષે તને પ્રાણ આપ્યા છે.' તે સાંભળી રાજકન્યા બોલી કે—‘જો એણે મને પ્રાણ આપ્યા છે. તો હું પણ મારા પ્રાણ તેને અર્પણ કરું છું.’ રાજાએ કહ્યું કે ‘બહુ સારું.’ પછી રાજા તે રાજકન્યાને હાથી ઉપર બેસાડી વિનયંધર સહિત પોતાના દરબારમાં લાવ્યો, અને નગરમાં ફરીવાર તેનો જન્મોત્સવ કરાવ્યો. પછી રાજાએ પોતાના મંત્રીને વિનયંધરનો મૂળ વૃત્તાંત તથા તેની કુળની શુદ્ધિ વિષે પૂછ્યું. મંત્રીએ કહ્યું કે ‘એ સુબંધુ સાર્થવાહનો કિંકર છે, તેથી તેનો મૂળ વૃત્તાંત તે જાણતો હશે.' રાજાએ સુબંધુને બોલાવીને પૂછ્યું એટલે તેણે કહ્યું કે ‘હું એને મૂળ શુદ્ધિ કાંઈ પણ જાણતો નથી. મને તો એ એક કૂવામાંથી મળ્યો છે.' આમ કહીને કૂવા સંબંધી બધો વૃત્તાંત તેણે કહી સંભળાવ્યો. તે સાંભળી રાજા જાણે વજ્રથી હણાયો હોય તેમ દુઃખી થઈ ચિંતા કરવા લાગ્યો કે ‘જેનું કુળ પણ જાણવામાં નથી તને હું મારી પુત્રી શી રીતે આપુ ? અને કન્યા આપવાની પ્રતિજ્ઞા કરીને જો હવે કન્યા ન આપું તો હું અસત્યવાદી કહેવાઉં.' આ પ્રમાણે રાજાનું મન ડોળાયમાન થવા લાગ્યું, તેવામાં પેલા યક્ષે પ્રત્યક્ષ થઈને રાજાને કહ્યું કે ‘હે રાજન્ ! આ વિનયંધર પોતનપુરના રાજા વજસિંહનો કુમાર છે. કમલારાણીના ગર્ભમાં ઉત્પન્ન થયેલો છે. જન્મતાં જ તેના પિતાએ વનમાં તજી દીધો હતો, ત્યાંથી ભારંડપક્ષીએ ઉપાડ્યો હતો અને તેની પાંખમાંથી છટકીને તે કૂવામાં પડ્યો હતો. તે કૂવામાં પ્રથમથી પડેલા કોઈ પુરુષે તેને ઝીલી લીધો હતો. પછી જ્યારે તે કૂવામાંથી બહાર નીકળ્યો ત્યારે તેણે એ બાળક આ સાર્થવાહને અર્પણ કર્યો હતો.' આ પ્રમાણે સર્વ વૃત્તાંત કહીને તે યક્ષ અંતર્ધાન થઈ ગયો. ૧૩૫ આ પ્રમાણેનાં યક્ષનાં વચનો સાંભળી રાજા હૃદયમાં હર્ષ પામીને બોલી ઊઠ્યો કે ‘અહો ! આ તો મારી બેન કમલાનો પુત્ર હોવાથી મારો ભાણેજ થાય છે.' પછી હૃદયમાં આનંદ ધરી તેણે પોતાની કન્યા વિનયંધરને આપી. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy