SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર વંદના કરવાને માટે રિપુમર્દન રાજા પરિવાર સહિત ગયા. આચાર્ય સંસારની અસારતા વિષે પ્રતિબોધ આપ્યો. તે સાંભળી વિજયચંદ્રકુમારને રાજ્ય ઉપર બેસાડી રિપુમર્દન રાજાએ તેમની સમીપે દીક્ષા ગ્રહણ કરી. રાજા વિજયચંદ્ર કુળક્રમથી આવેલા રાજ્યનું પાલન કરવા લાગ્યા. પ્રાંતે તેમણે કુસુમપુર નામનું નગર હરિચંદ્ર કુમારને આપ્યું અને સુરપુર નામનું નગર કુરચંદ્રને આપ્યું, પછી પોતે કેવળી ભગવંતના ચરણ સમીપે જઈ દીક્ષા ગ્રહણ કરી. મહાત્મા અને ગીતાર્થ થયેલા વિજયચંદ્ર મુનિ ગુરુમહારાજની આજ્ઞાથી ઉગ્ર તપ વડે જેમનું અંગ શોષાઈ ગયું છે એવા થયેલા ગામ તથા ખીણવડે મંડિત એવી પૃથ્વી પર એકાકી વિહાર કરવા લાગ્યા. તેઓ વર્ષાઋતુમાં ચાર માસ પર્યત સમગ્ર આહારનો ત્યાગ કરી પર્વતની ગુફામાં એક પગે ઊભા રહી કાયોત્સર્ગ કરતા હતા અને શિશિરઋતુમાં ધીરપણે દુ:સહ શીતને તથા ગ્રીષ્મઋતુમાં ઉગ્ર આતપને સહન કરતા હતા. હજારો ઉપસર્ગમાં પણ તેઓ પર્વતની જેમ ધ્યાનથી ચળિત થતા નહોતા. એવી રીતે બાર વર્ષ સુધી તપ આચરીને તેઓ અનેક પ્રકારના વૃક્ષોથી મંડિત અને રમણિક એવા તુંગગિરિ ઉપર આવ્યા. ત્યાં એક શિલાતલ ઉપર એ મહાસત્ત્વ મુનિ નિશ્ચળ ચિત્ત કરી ચાર ઘનઘાતી કર્મનું દલન કરવા માટે શુભ ધ્યાનમાં આરૂઢ થયા. તેમના ઉગ્ર ધ્યાનથી મનમાં વિસ્મય પામીને તેમજ તેમના મહાન્ સત્ત્વથી સંતોષ પામીને વનદેવતાએ તેમના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. અનુક્રમે તે ધીરવીર મહામુનિએ ધ્યાનરૂપ અગ્નિવડે ઘાતકર્મરૂપ વનને દહન કરી નાખીને લોકાલોકને પ્રકાશ કરનારું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમને સર્વોત્તમ જ્ઞાન ઉત્પન્ન થવાથી તત્કાળ દેવતાઓએ એકઠા થઈ આકાશને આચ્છાદન કરીને તેમના મસ્તક પર સુગંધી જળથી મિશ્ર એવી પુષ્પોની વૃષ્ટિ કરી; અને દુંદુભિ વગાડવા લાગ્યા. દેવતાઓનો સમૂહ સંતુષ્ટ થઈને નૃત્ય કરવા લાગ્યો. પછી તેઓ સંતુષ્ટ થઈને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા – “હે નાથ ! તમે મહામોહરૂપ મોટા સુભટને જીતી મોક્ષસુખની લક્ષ્મી ગ્રહણ કરીને આખા જગતમાં જયપટહ વગડાવ્યો છે.' આ પ્રમાણે દેવતાઓ જેમની સ્તુતિ કરી રહ્યા છે એવા તે કેવળી દેવ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy